અયોધ્યા રામમંદિરના નિર્માણ માટે ઉઘરાવવામાં આવેલા દાનમાં કથિત ચોરી અને ભ્રષ્ટાચારના વિરોધમાં હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા એક અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે વિરોધ પક્ષના પ્રદર્શનોમાં પક્ષના જ ઝંડા જોવા મળતા હોય છે, પરંતુ આ રેલીમાં કોંગ્રેસના કાર્યકરો હાથમાં ભગવા ઝંડા લઈને રસ્તા પર ઉતર્યા હતા.
પૂર્વ સાંસદ તુષાર ચૌધરી સહિતના અગ્રણી નેતાઓ અને કાર્યકરોએ હિંમતનગર સર્કિટ હાઉસથી પદયાત્રા યોજી હતી, જેમાં 'જય શ્રીરામ'ના નારા લગાવી ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.





