વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના હકારાત્મક અભિગમથી મંદિર ટ્રસ્ટે સંતોષ વ્યકત કર્યો
આગામી તા.16 જુલાઈના રોજ પાટણ શહેરમાંથી નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની 144 મી ઐતિહાસિક અને પરંપરા
ગત રથયાત્રાના સુચારૂ આયોજન સાથે કાયદો-વ્યવસ્થાની જાળવણી અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલન માટે સોમવારે પાટણ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.આ બેઠક પૂર્વે પાટણના પ્રાંત અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ એ મંદિરની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેઓએ રથયાત્રા સમિતિ સાથે પરામર્શ કરી જરૂરી સૂચનો મેળવ્યા હતા અને સમગ્ર રૂટની બારીકાઈથી ચકાસણી કરી હતી. ઉચ્ચ અધિકારીઓની આ સક્રિય કામગીરીથી શ્રી જગન્નાથજી મંદિર ટ્રસ્ટે ભારે સંતોષ વ્યક્ત કર્યો હતો.

જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકએ આ તમામ સૂચનોને ખૂબ જ હકારાત્મક રીતે સ્વીકાર્યા હતા. અને રથયાત્રા દરમ્યાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તથા રથયાત્રા સમયસર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ઉપસ્થિત તમામ વિભાગોના અધિકારીઓને સુચનાઓ આપી તાત્કાલિક ધોરણે કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું.





