ભાભર શહેરના તિરૂપતિ માર્કેટ પાછળ ચાલી રહેલા સીસી રોડના કામમાં ગુણવત્તા મુદ્દે સ્થાનિકોએ નગરપાલિકા પ્રમુખ અમૃતભાઈ માળીને ફોન કરીને ફરિયાદ કરી હતી. સ્થાનિકોની ફરિયાદ મળતાની સાથે જ પ્રમુખએ પાલિકા સ્ટાફને તાત્કાલિક ઘટના સ્થળે મોકલીને તપાસ કરાવી હતી. તપાસમાં કામની ગુણવત્તામાં ઉણપ જોવા મળતા પ્રમુખે કડક નિર્ણય લેતા કરેલું PCC કામ ઉખેડી નાખવાનો આદેશ આપતાં નબળી ગુણવત્તાવાળું કામ તાત્કાલિક તોડી પાડવામાં આવ્યું હતું અને નવેસરથી ગુણવત્તાસભર કામગીરી કરવી અને કામમાં કોઈ બાંધછોડ નહીં કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી. સતત દેખરેખ હેઠળ કામ ફરી શરૂ કરાવીને પાલિકા સ્ટાફને સૂચના આપવામાં આવી હતી.
આ અંગે પ્રમુખ અમૃતભાઈ માળીએ જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા કરવામાં આવતા કોઈપણ વિકાસ કાર્યમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. જનતાના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય તે અમારી પ્રાથમિકતા છે.





