રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ10 સપ્ટેમ્બર, 2026| Super Admin

સુઈગામ પોલીસ કસ્ટડીમાં દલિત યુવકના મોત પર હોબાળો, પરિવારજનોનો આક્રોશ

સુઈગામ પોલીસ કસ્ટડીમાં દલિત યુવકના મોત પર હોબાળો, પરિવારજનોનો આક્રોશ

9 સપ્ટેમ્બરની મધ્યરાત્રીએ સુઇગામ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં દલિત યુવકના અકાળે મોતના મુદ્દે પરિવાર જનોએ હલાબોલ મચાવી સુઇગામ પોલીસ પર આક્ષેપો લગાવી યુવકના મોતના મુદ્દે ન્યાયની માંગ કરી છે. જાણવા મળતી વિગતો અનુસાર મૃતક રતાભાઈ રૂપશીભાઈ અને તેમના સાસરી પક્ષ વચ્ચે કોઈ વાદ વિવાદના મુદ્દે મૃતક રતાભાઈ વિરુદ્ધ સુઇગામ પોલીસે ફરિયાદ નોંધી મૃતક આરોપી રતાભાઈ રૂપશીભાઈની ગત 9 સપ્ટેમ્બરના રોજ અટકાયત કરી સુઇગામ પોલિસ મથક ખાતે લાવીને કસ્ટડીમાં રખાયો હતો. ત્યારે રાત્રે અંદાજે 3 વાગ્યાના સમય દરમિયાન મૃતક રતાભાઈએ સુઇગામ પોલીસ મથકમાં પંખે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

 જોકે આ બાબતની મૃતકના પરિવારને જાણ થતાં મૂર્તકના પરિવારજનો સુઇગામ પોલીસ મથક ખાતે ઘસી આવી હલાબોલ કરી સુઇગામ પોલીસ પર આક્ષેપ લગાવી "તમો એ મારા દીકરાને માર મારી" ટોર્ચર કર્યું હોઈ અમારા દીકરાને મરવા માટે મજબૂર બનવું  પડ્યું છે. જોકે મૃતકની લાશને પી.એમ.અર્થ ધારપુર ખાતે મુકવામાં આવી છે. પી.એમ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે? પરંતુ એક વાત નક્કી છે કે યુવકને મરવા પાછળ મજબુર કરનાર કોણ છે ? તેમના વિરુદ્ધ આઇ.પી.સી કલમ 306 મુજબ ગુનો થવો જોઈએ. જેવી મૃતકના પરિવારજનોની પ્રબળ માંગ છે.

ટેગ્સ:#Suigam

સંબંધિત સમાચાર