9 સપ્ટેમ્બરની મધ્યરાત્રીએ સુઇગામ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં દલિત યુવકના અકાળે મોતના મુદ્દે પરિવાર જનોએ હલાબોલ મચાવી સુઇગામ પોલીસ પર આક્ષેપો લગાવી યુવકના મોતના મુદ્દે ન્યાયની માંગ કરી છે. જાણવા મળતી વિગતો અનુસાર મૃતક રતાભાઈ રૂપશીભાઈ અને તેમના સાસરી પક્ષ વચ્ચે કોઈ વાદ વિવાદના મુદ્દે મૃતક રતાભાઈ વિરુદ્ધ સુઇગામ પોલીસે ફરિયાદ નોંધી મૃતક આરોપી રતાભાઈ રૂપશીભાઈની ગત 9 સપ્ટેમ્બરના રોજ અટકાયત કરી સુઇગામ પોલિસ મથક ખાતે લાવીને કસ્ટડીમાં રખાયો હતો. ત્યારે રાત્રે અંદાજે 3 વાગ્યાના સમય દરમિયાન મૃતક રતાભાઈએ સુઇગામ પોલીસ મથકમાં પંખે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
જોકે આ બાબતની મૃતકના પરિવારને જાણ થતાં મૂર્તકના પરિવારજનો સુઇગામ પોલીસ મથક ખાતે ઘસી આવી હલાબોલ કરી સુઇગામ પોલીસ પર આક્ષેપ લગાવી "તમો એ મારા દીકરાને માર મારી" ટોર્ચર કર્યું હોઈ અમારા દીકરાને મરવા માટે મજબૂર બનવું પડ્યું છે. જોકે મૃતકની લાશને પી.એમ.અર્થ ધારપુર ખાતે મુકવામાં આવી છે. પી.એમ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે? પરંતુ એક વાત નક્કી છે કે યુવકને મરવા પાછળ મજબુર કરનાર કોણ છે ? તેમના વિરુદ્ધ આઇ.પી.સી કલમ 306 મુજબ ગુનો થવો જોઈએ. જેવી મૃતકના પરિવારજનોની પ્રબળ માંગ છે.





