ભીલવણ ગામે અનુ.જાતિના પીડિત પરિવારોની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી રાજપૂત

કોઈપણ પ્રકારની ચિંતા કરતા નહિ સરકાર તમારી સાથે છે : કેબિનેટ મંત્રી
કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સરસ્વતી તાલુકાના ભીલવણ ગામમાં મકવાણા અમૃતભાઈની દીકરીના લગ્ન પ્રસંગે ડીજે વગાડવાના મામલે અત્યાચારની જે ઘટના બની હતી તેના સંદર્ભે પીડિત પરિવારોની શનિવારે મુલાકાત લીધી હતી. જ્યાં કેબિનેટ મંત્રીએ પીડિત પરિવારોને મળી ને તેમની સાથે બનેલા દુઃખમાં સહભાગી બન્યા હતા. અને પરિવાર સાથે સંવાદ કર્યો હતો.અને ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના ના બને તે માટેની ખાતરી સાથે હુંફ આપી હતી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી રાજપૂતે જણાવ્યું હતું કે, ભીલવણ ગામે જે બનાવ બન્યો છે એ અત્યંત દુઃખદ છે. આપણી વર્ષોની પરંપરા રહી છે કે સુખ દુઃખના પ્રસંગે એકત્ર થઈ અને એકબીજાની મદદ કરવી.પરંતુ અહીં ભીલવણ ગામે પીડિત પરિવારે લગ્નના પ્રસંગે ડીજે વગાડવા મામલે જે અત્યાચારની ઘટના બની તેના અનુસંધાને રાજ્ય સરકારે કડક પગલાં લીધા છે. ગુનેગારોને છોડવામાં આવશે નહિ. રાજ્ય સરકાર પીડિત પરિવારની સાથે છે તેમ જણાવી રાજ્ય સરકારની યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવશે તેવી પરિવારને ખાત્રી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની ચિંતા કરતા નહિ સરકાર તમારી સાથે છે.
ટેગ્સ:#Emergency Response#Victim Support#social justice#Public Safety Measures#Victim Advocacy#Community Solidarity#Scheduled Castes#Government Assurance#Cabinet Minister Visit#Bhilwan Village#Atrocities Incident#Wedding DJ Controversy#State Government Action#Family Interaction#Local Leaders Present
સંબંધિત સમાચાર
પાટણપાટણ : જનતાની હાલાકી જોઈ ઉમેદવારો મેદાને: વોર્ડ-૯ માં કોંગ્રેસ દ્વારા સ્વખર્ચે રોડ રિપેરિંગ કરાયું
2 દિવસ પહેલા
પાટણHNGU એડમિશન 2026-27 : પ્રવેશ પ્રક્રિયામાં મોટા બદલાવ, વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન
2 દિવસ પહેલા
પાટણપાટણ જિલ્લા બજરંગ દળ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
પાટણપાટણ : અપક્ષ ઉમેદવારને રેલીની મંજૂરી ન મળતા વકીલ મંડળ મેદાને આવ્યું
2 દિવસ પહેલા
