થરાદની નર્મદા મુખ્ય કેનાલમાં મૃતદેહો મળવાનો ઘટનાક્રમ યથાવત રહેતાં શનિવારે ફરી બે મૃતદેહો મળી આવ્યા છે. બનાવને લઇને ચકચાર પ્રસરવા પામી છે. થરાદની નર્મદા નહેરમાંથી શનિવારે યુવક-યુવતી બંને પરણિત અને વાલ્મિકી સમાજના યુવક યુવતીના મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે. થરાદની નર્મદા મુખ્ય કેનાલમાં ડેલ પુલ નજીકથી મળી આવેલા યુવક અને યુવતીના મૃતદેહને ફાયર બ્રિગેડની ટીમે બંને મૃતદેહને બહાર કાઢ્યા છે. બંનેની ઓળખ થઇ ગઈ છે. બંને પરણિત અને વાલ્મિકી સમાજના છે. ફાયર બ્રિગેડને ડેલ પુલ અને સણધર પુલ વચ્ચે મૃતદેહ હોવાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. બંને મૃતદેહને બહાર કાઢી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. મૃતક યુવક રામાભાઈ બે બાળકોનો પિતા છે, જયારે મૃતક યુવતી ભારતીબેન એક બાળકની માતા છે. બંનેના મોત અંગે કોઈ ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.
થરાદમાં નર્મદા કેનાલમાંથી બંને યુવક-યુવતીના મૃતદેહ મળ્યાં

ટેગ્સ:#tharad#Investigation#Narmada canal#Community Impact#Fire Brigade Response#Missing Persons#Bodies Found#Marital Status#Unexplained Deaths
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઆવતીકાલે ચૂંટણી: ડીસા પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પર સૌની નજર
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા પોલીસની સફળતા: બાઇક ચોરીના ગુનાનો પર્દાફાશ, આરોપીની અટકાયત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા : ચેક રિટર્ન કેસમાં કોર્ટે ફટકારી સજા, ₹50 હજાર ચૂકવવાનો હુકમ
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા: પાંથાવાડા બોર્ડર પરથી ₹1.13 કરોડનો વિદેશી દારૂ જપ્ત
2 દિવસ પહેલા
