રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા30 મે, 2025| Super Admin

ચંડીસર રેલવે ફાટક પાસે ભૂંડને બચાવવા જતા બાઇક સ્લીપ ખાઇ ગયું; શિક્ષકનુ મોત

ચંડીસર રેલવે ફાટક પાસે ભૂંડને બચાવવા જતા બાઇક સ્લીપ ખાઇ ગયું; શિક્ષકનુ મોત
અકસ્માતમાં ગંભીર ઘાયલ કુંભલમેર ગામના શિક્ષકનુ મોત નિપજ્યુ... કચ્છના રાપરમાં નોકરી કરતા મૃતક શિક્ષક વેકેશનને લઇ વતનમાં આવ્યા હતા; પાલનપુર તાલુકાના ચંડીસર ગામના રેલવે ફાટક પાસે બાઇક લઇને પસાર થઇ રહેલા કુંભલમેર ગામના એક દંપતીના બાઇકના આડે ભૂંડ આવી જતા બાઇક સ્લીપ ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર દંપતી ગંભીર ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા બાઇક સવાર શિક્ષકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું પાલનપુર તાલુકાના કુંભલમેર ગામના વતની અને કચ્છના રાપર તાલુકાના કાનમેર ગામની પ્રાથમિક શાળામા ફરજ બજાવતા શિક્ષક જયંતીભાઈ રાજાભાઈ ઠાકોર જેઓનો પરિવાર ઉનાળુ વેકેશનને લઇ વતનમાં કુંભલમેર ગામે આવ્યા હતા અને આ શિક્ષક વીવી આઇપી મૂવમેન્ટ ને લઇ ત્યાં રોકાયા હતા જેઓતા.27 મે ઘરે આવ્યા બાદ રાત્રે કામ કાજ માટે તેમની પત્ની સોનલબેન સાથે બાઇક લઇ ચંડીસર ગામે ગયા હતા. જ્યા કામ પતાવીને રાત્રે પરત ફરી રહ્યા હતા દરમ્યાન રેલવે ફાટક થી આગળ રસ્તામાં ભૂંડ આવી જતા શિક્ષકે બ્રેક મારતા બાઇક સ્લીપ ખાઇ જતા તેનો અને તેમની પત્ની ગંભીર ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમ્યાન શિક્ષક જયંતીભાઈ રાજાભાઈ ઠાકોર નું મોત નિપજતા પરિવાર પર આભ તુટી પડવા પામ્યું હતું.

સંબંધિત સમાચાર