રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા30 મે, 2025| Super Admin

ચંડીસર રેલવે ફાટક પાસે ભૂંડને બચાવવા જતા બાઇક સ્લીપ ખાઇ ગયું; શિક્ષકનુ મોત

ચંડીસર રેલવે ફાટક પાસે ભૂંડને બચાવવા જતા બાઇક સ્લીપ ખાઇ ગયું; શિક્ષકનુ મોત
અકસ્માતમાં ગંભીર ઘાયલ કુંભલમેર ગામના શિક્ષકનુ મોત નિપજ્યુ... કચ્છના રાપરમાં નોકરી કરતા મૃતક શિક્ષક વેકેશનને લઇ વતનમાં આવ્યા હતા; પાલનપુર તાલુકાના ચંડીસર ગામના રેલવે ફાટક પાસે બાઇક લઇને પસાર થઇ રહેલા કુંભલમેર ગામના એક દંપતીના બાઇકના આડે ભૂંડ આવી જતા બાઇક સ્લીપ ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર દંપતી ગંભીર ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા બાઇક સવાર શિક્ષકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું પાલનપુર તાલુકાના કુંભલમેર ગામના વતની અને કચ્છના રાપર તાલુકાના કાનમેર ગામની પ્રાથમિક શાળામા ફરજ બજાવતા શિક્ષક જયંતીભાઈ રાજાભાઈ ઠાકોર જેઓનો પરિવાર ઉનાળુ વેકેશનને લઇ વતનમાં કુંભલમેર ગામે આવ્યા હતા અને આ શિક્ષક વીવી આઇપી મૂવમેન્ટ ને લઇ ત્યાં રોકાયા હતા જેઓતા.27 મે ઘરે આવ્યા બાદ રાત્રે કામ કાજ માટે તેમની પત્ની સોનલબેન સાથે બાઇક લઇ ચંડીસર ગામે ગયા હતા. જ્યા કામ પતાવીને રાત્રે પરત ફરી રહ્યા હતા દરમ્યાન રેલવે ફાટક થી આગળ રસ્તામાં ભૂંડ આવી જતા શિક્ષકે બ્રેક મારતા બાઇક સ્લીપ ખાઇ જતા તેનો અને તેમની પત્ની ગંભીર ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમ્યાન શિક્ષક જયંતીભાઈ રાજાભાઈ ઠાકોર નું મોત નિપજતા પરિવાર પર આભ તુટી પડવા પામ્યું હતું.

સંબંધિત સમાચાર