રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
સાબરકાંઠા1 જૂન, 2026| Super Admin

સાબરકાંઠા ભાજપમાં મોટો ભડકો: પ્રાંતિજ નગરપાલિકાના ૧૫ કોર્પોરેટરોનાં સામુહિક રાજીનામા

સાબરકાંઠા ભાજપમાં મોટો ભડકો: પ્રાંતિજ નગરપાલિકાના ૧૫ કોર્પોરેટરોનાં સામુહિક રાજીનામા

સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ નગરપાલિકાની કુલ 24 બેઠકોમાંથી ભાજપ પાસે 19 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી છે. પણ ભાજપના 19 માંથી 15 કોર્પોરેટરોએ સામૂહિક બળવો કરી રાજીનામા ધરી દેતા ભાજપ સંગઠન માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. જોકે, આ રાજીનામા સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યા છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કે સ્પષ્ટતા થઈ નથી.પણ રાજીનામાંનો પત્ર વાયરલ થયો છે.

એક સાથે આટલી મોટી સંખ્યામાં સભ્યોના બળવાને કારણે ભાજપનું ઉચ્ચ સંગઠન પણ ચોંકી ઊઠ્યું છે. આ સાગમટે થયેલા વિરોધ પાછળના અસલી કારણો શું છે અને આ આખા પ્રકરણમાં પડદા પાછળથી કોણ દોરીસંચાર કરી રહ્યું છે ? તે જાણવા માટે સંગઠન દ્વારા આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ભાજપ સંગઠન દ્વારા આ આંતરિક વિખવાદને સત્ત્વરે અને શાંતિપૂર્વક થાળે પાડવા માટે ભારે કવાયત હાથ ધરવામાં આવી છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, નગરપાલિકામાં પ્રમુખ પદની પસંદગી વખતે પણ શરૂઆતથી જ પક્ષના આંતરિક જૂથોમાં ભારે ખેંચતાણનો માહોલ હતો. એ સમયે દબાયેલો અસંતોષ હવે આ સામૂહિક રાજીનામાં સ્વરૂપે ઉગ્ર બનીને બહાર આવ્યો છે. આ ઘટનાથી પ્રાંતિજના સ્થાનિક રાજકારણમાં મોટો ખળભળાટ મચી ગયો છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપનું મોવડી મંડળ આટલી મોટી સંખ્યામાં થયેલા આ બળવાને કેવી રીતે શાંત પાડે છે, નારાજ કોર્પોરેટરોને મનાવવા માટે શું પ્રયાસો થાય છે અને આ વિવાદનો આખરી અંત કેવો આવે છે ?પક્ષની અંદરની આ નારાજગી આગામી સમયમાં કેવું વળાંક લે છે ? તેના પર સૌની નજર મંડાયેલી છે.

ટેગ્સ:#bjp#sabarkantha#Prantij

સંબંધિત સમાચાર