રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
સાબરકાંઠા25 જુલાઈ, 2026| Super Admin

ચાંદીપુરા વાયરસ સામે મોરચો: સાબરકાંઠામાં સ્થિતિની સમીક્ષા માટે ICMR પુડુચેરીની કેન્દ્રીય ટીમ મેદાને

ચાંદીપુરા વાયરસ સામે મોરચો: સાબરકાંઠામાં સ્થિતિની સમીક્ષા માટે ICMR પુડુચેરીની કેન્દ્રીય ટીમ મેદાને

સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના નિયંત્રણ અને સક્રિય સર્વેલન્સને વધુ મજબૂત બનાવવા માટે  ICMR પુડુચેરીની રાષ્ટ્રકક્ષાની વિશેષ ટીમ દ્વારા પોશીના તાલુકાના દેમતી ગામ તથા ગણેર વિસ્તારમાં ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા વનબંધુ છુટાછવાયા વિસ્તારના ગણેર ગામમાં 7 મકાનોમાં સંશોધનાત્મક સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન કુલ 104 સેન્ડ ફ્લાય (Sand Fly)ના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા.

 આ નમૂનાઓ ચાંદીપુરા વાયરસના પ્રસાર અને વેક્ટર ડાયનામિક્સના વૈજ્ઞાનિક વિશ્લેષણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. રાષ્ટ્ર કક્ષાએથી આવેલી આ ટીમમાં કુન્તલ દે (Project Technical Support), મુનીશ અને દશરથદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. આ સર્વેલન્સ પ્રવૃત્તિ દ્વારા વિસ્તારમાં સેન્ડ ફ્લાયના ઘનત્વ, પ્રજનન સ્થળો અને માનવ સંક્રમણ વચ્ચેના સંબંધનું મૂલ્યાંકન કરવામાં આવશે, જે ભવિષ્યમાં રોગ નિયંત્રણાત્મક પગલાં માટે માર્ગદર્શનરૂપ બનશે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આ અંગે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોગ્ય તંત્ર દ્વારા ચાંદીપુરા વાયરસ સામે સઘન સર્વેલન્સ, વેક્ટર નિયંત્રણ અને જનજાગૃતિની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે. આ સાથે તેમણે તમામ પ્રજાજનોને વિનંતિ કરતા અપીલ કરી છે કે ઘર અને આસપાસના પરિસરમાં સ્વચ્છતા જાળવવી, મકાનની દિવાલોમાં પડેલી તિરાડો કે છિદ્રો પૂરી દેવા, રાત્રે સુવા માટે મચ્છરદાનીનો ફરજિયાત ઉપયોગ કરવો, બાળકોને આખા શરીરને ઢાંકે તેવા સંપૂર્ણ કપડાં પહેરાવવા અને બહાર રમતી વખતે પૂરતી સાવચેતી રાખવી. જો કોઈ પણ વ્યક્તિમાં તાવ, ઊલટી, માથાનો દુખાવો કે ચાંદીપુરાને લગતા શંકાસ્પદ લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. નાગરિકો આરોગ્ય વિભાગના માર્ગદર્શનોનું ચુસ્તપણે પાલન કરી સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવે છે.

ટેગ્સ:#sabarkantha

સંબંધિત સમાચાર