શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે. આ શક્તિપીઠમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. દર્શન કર્યા બાદ ભક્તો માતાજીના આશીર્વાદ પણ લેતા હોય છે. નવા વર્ષના પ્રારંભે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિરમાં સવારે છ વાગે મંગળા આરતી કરવામાં આવી હતી. ભક્તો લાંબી લાંબી લાઈનમાં દર્શન માટે ઉભેલા જોવા મળ્યા હતા. બપોરે 12:00 વાગ્યે માતાજીને સોનાની થાળીમાં રાજભોગ ધરાવામાં આવ્યો હતો, ત્યારબાદ અંબાજી મંદિરમાં માતાજીને છપ્પનભોગની અલગ અલગ મીઠાઈ અને ફરસાણ ધરાવવામાં આવ્યા હતા. અન્નકૂટ ધરાવ્યા બાદ માતાજીને અન્નકુટ આરતી પણ ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.






