હિંમતનગરના હિતેશ પંચાલે શ્રાવણ માસમાં શિવજીની અનોખી આરાધના કરી છે. તેમણે રંગોળીથી અર્ધ નારેશ્વરની પ્રતિકૃતિ બનાવીને ભક્તિભાવ વ્યક્ત કર્યો છે. હિંમતનગરના સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં આ કલાકૃતિ આકાર લીધી છે. 10 બાય 8 ફૂટના વિશાળ ક્ષેત્રફળમાં અર્ધ નારેશ્વરનું ચિત્ર બનાવ્યું છે. આ કલાકૃતિ બનાવવા માટે તેમણે સાત અલગ અલગ રંગોનો ઉપયોગ કર્યો છે. કુલ 12 કિલો રંગનો વપરાશ કરીને આ રંગોળી તૈયાર કરવામાં આવી છે. આ કલાકૃતિ બનાવવા માટે છ કલાક જેટલો સમય લાગ્યો હતો. હાલમાં આ અર્ધ નારેશ્વરની રંગોળી મંદિરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓનું આકર્ષણનું કેન્દ્ર બની છે. શ્રાવણ માસમાં શિવ આરાધનાના આ અનોખા પ્રયાસને લોકો દ્વારા ખૂબ સરાહના મળી રહી છે.
કલાકારની અનોખી શિવભક્તિ; શ્રાવણ મહિનામાં શિવજીની રંગોળી

ટેગ્સ:#cultural significance#Community Engagement#Religious Devotion#Devotional Activities#Rangoli Art#Local Artists#Artistic Expression#Month of Shravan#Unique Devotion to Shiva#Ardha Nareshwar Representation#Colorful Artwork#Temple Attractions#Traditional Worship Practices
સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગર 'હર ઘર તિરંગા' યાત્રાથી દેશભક્તિના રંગે રંગાયું
2 દિવસ પહેલા
સાબરકાંઠાઇડર નાગરિક સહકારી બેંક ચૂંટણી: સમરસ પેનલના ઉમેદવારોએ ચૂંટણી કાર્યાલય ખોલ્યું
3 દિવસ પહેલા
સાબરકાંઠાઇડર-વડાલીમાં 'હર ઘર તિરંગા-૨૦૨૬' અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
3 દિવસ પહેલા
સાબરકાંઠા'હર ઘર તિરંગા': જિલ્લા કચેરીઓમાં ગુંજ્યું 'વંદે માતરમ'
4 દિવસ પહેલા
