હિંમતનગરના હિતેશ પંચાલે શ્રાવણ માસમાં શિવજીની અનોખી આરાધના કરી છે. તેમણે રંગોળીથી અર્ધ નારેશ્વરની પ્રતિકૃતિ બનાવીને ભક્તિભાવ વ્યક્ત કર્યો છે. હિંમતનગરના સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં આ કલાકૃતિ આકાર લીધી છે. 10 બાય 8 ફૂટના વિશાળ ક્ષેત્રફળમાં અર્ધ નારેશ્વરનું ચિત્ર બનાવ્યું છે. આ કલાકૃતિ બનાવવા માટે તેમણે સાત અલગ અલગ રંગોનો ઉપયોગ કર્યો છે. કુલ 12 કિલો રંગનો વપરાશ કરીને આ રંગોળી તૈયાર કરવામાં આવી છે. આ કલાકૃતિ બનાવવા માટે છ કલાક જેટલો સમય લાગ્યો હતો. હાલમાં આ અર્ધ નારેશ્વરની રંગોળી મંદિરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓનું આકર્ષણનું કેન્દ્ર બની છે. શ્રાવણ માસમાં શિવ આરાધનાના આ અનોખા પ્રયાસને લોકો દ્વારા ખૂબ સરાહના મળી રહી છે.
કલાકારની અનોખી શિવભક્તિ; શ્રાવણ મહિનામાં શિવજીની રંગોળી

ટેગ્સ:#cultural significance#Community Engagement#Religious Devotion#Devotional Activities#Rangoli Art#Local Artists#Artistic Expression#Month of Shravan#Unique Devotion to Shiva#Ardha Nareshwar Representation#Colorful Artwork#Temple Attractions#Traditional Worship Practices
સંબંધિત સમાચાર
સાબરકાંઠાવડાલી તાલુકા પંચાયત: પ્રમુખ-ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી, ભાજપ છાવણીમાં ઉત્સાહ
2 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં ઘર આંગણે 'કેન્સર સ્ક્રિનિંગ' મહાઅભિયાનનો પ્રારંભ
2 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી: પ્રમુખ અને ઉપપ્રમુખ પદે ઉમેદવારો બિનહરીફ જાહેર
4 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જી. પંચાયત: પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી પત્રો ભરાયા
5 દિવસ પહેલા
