સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રૂપાલ કંપામાં આજે બપોરના સમયે એક ખેતરમાં ઘઉંના ઘાસમાં આગ લાગી હતી. વીજ તણખા ઝરવાને કારણે આ ઘટના બની હતી. ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગના ફાયર ઓફિસર મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રૂપાલ કંપામાં ચેતન પટેલના ખેતરમાં આગ લાગી હતી. કોલ મળતા જ ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે 2300 લીટર પાણીનો ઉપયોગ કરીને આગ બુઝાવી હતી. સમયસર કાર્યવાહી થતાં ખેતરમાં આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટું નુકસાન ટળ્યું હતું.
હિંમતનગરના રૂપાલ કંપામાં ખેતરમાં ભીષણ આગ : ફાયર ફાઈટરોએ આગ કાબૂમાં લીધી

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા LCBની મોટી સફળતા: હત્યાનો ગુનેગાર જેલના સળિયા પાછળ; 3 વર્ષ બાદ જંગલમાંથી ઝડપાયો
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં આઈપીએલ પર સટ્ટાબાજીનું નેટવર્ક ઝડપાયું, પોલીસે ₹20 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાના બડોલની સીમમાં ડ્રોન સ્ટ્રાઈક : SOGએ ખેતરમાંથી ₹10 લાખનો ગાંજો ઝડપ્યો
1 અઠવાડિયા પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં આકાશી આફત : ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ
1 અઠવાડિયા પહેલા
