સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રૂપાલ કંપામાં આજે બપોરના સમયે એક ખેતરમાં ઘઉંના ઘાસમાં આગ લાગી હતી. વીજ તણખા ઝરવાને કારણે આ ઘટના બની હતી. ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગના ફાયર ઓફિસર મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રૂપાલ કંપામાં ચેતન પટેલના ખેતરમાં આગ લાગી હતી. કોલ મળતા જ ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે 2300 લીટર પાણીનો ઉપયોગ કરીને આગ બુઝાવી હતી. સમયસર કાર્યવાહી થતાં ખેતરમાં આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટું નુકસાન ટળ્યું હતું.
હિંમતનગરના રૂપાલ કંપામાં ખેતરમાં ભીષણ આગ : ફાયર ફાઈટરોએ આગ કાબૂમાં લીધી

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આયોજન મંડળ અને પ્રિ-મોન્સૂન રિવ્યુ મિટિંગ યોજાઈ
2 દિવસ પહેલા
સાબરકાંઠાવડાલીના ફુદેડા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો: ૧૭ યુનિટ રક્ત એકત્રિત કરાયું
3 દિવસ પહેલા
સાબરકાંઠાવડાલી તાલુકા પંચાયત: પ્રમુખ-ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી, ભાજપ છાવણીમાં ઉત્સાહ
4 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં ઘર આંગણે 'કેન્સર સ્ક્રિનિંગ' મહાઅભિયાનનો પ્રારંભ
4 દિવસ પહેલા
