સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રૂપાલ કંપામાં આજે બપોરના સમયે એક ખેતરમાં ઘઉંના ઘાસમાં આગ લાગી હતી. વીજ તણખા ઝરવાને કારણે આ ઘટના બની હતી. ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગના ફાયર ઓફિસર મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રૂપાલ કંપામાં ચેતન પટેલના ખેતરમાં આગ લાગી હતી. કોલ મળતા જ ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે 2300 લીટર પાણીનો ઉપયોગ કરીને આગ બુઝાવી હતી. સમયસર કાર્યવાહી થતાં ખેતરમાં આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટું નુકસાન ટળ્યું હતું.
હિંમતનગરના રૂપાલ કંપામાં ખેતરમાં ભીષણ આગ : ફાયર ફાઈટરોએ આગ કાબૂમાં લીધી

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં હિંમતનગર નગરપાલિકા ખાતે ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ
2 દિવસ પહેલા
સાબરકાંઠાવડાલી પોલીસે કોંગ્રેસના ૨૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી; ગાંધીનગર કિસાન યાત્રામાં જતાં જ રોક્યા
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાની તલોદ પોલીસની મોટી સફળતા: ડીઝલ ચોરી કરતી ટોળકીના બે સાગરીતો ઝડપાયા
5 દિવસ પહેલા
સાબરકાંઠાઈડરથી ‘પ્રગતિ પથયાત્રા’નો ભવ્ય પ્રારંભ: સાંસદ શોભનાબેન બારૈયાએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી
1 અઠવાડિયા પહેલા
