સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રૂપાલ કંપામાં આજે બપોરના સમયે એક ખેતરમાં ઘઉંના ઘાસમાં આગ લાગી હતી. વીજ તણખા ઝરવાને કારણે આ ઘટના બની હતી. ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગના ફાયર ઓફિસર મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રૂપાલ કંપામાં ચેતન પટેલના ખેતરમાં આગ લાગી હતી. કોલ મળતા જ ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે 2300 લીટર પાણીનો ઉપયોગ કરીને આગ બુઝાવી હતી. સમયસર કાર્યવાહી થતાં ખેતરમાં આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટું નુકસાન ટળ્યું હતું.
હિંમતનગરના રૂપાલ કંપામાં ખેતરમાં ભીષણ આગ : ફાયર ફાઈટરોએ આગ કાબૂમાં લીધી

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના નવા કાર્યાલયનો હિંમતનગર ખાતે શુભારંભ
9 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગર 'હર ઘર તિરંગા' યાત્રાથી દેશભક્તિના રંગે રંગાયું
4 દિવસ પહેલા
સાબરકાંઠાઇડર નાગરિક સહકારી બેંક ચૂંટણી: સમરસ પેનલના ઉમેદવારોએ ચૂંટણી કાર્યાલય ખોલ્યું
5 દિવસ પહેલા
સાબરકાંઠાઇડર-વડાલીમાં 'હર ઘર તિરંગા-૨૦૨૬' અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
5 દિવસ પહેલા
