રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા27 નવેમ્બર, 2024| Super Admin

પાલનપુરની પરણીતાએ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હોવાની ઘટના સામે આવી

પાલનપુરની પરણીતાએ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હોવાની ઘટના સામે આવી

પાલનપુરની પરિણીતાએ ગળે ટૂંપો ખાઈ કર્યો આપઘાત પતિના શારીરિક માનસિક ત્રાસથી અંતિમ પગલું ભર્યું હોવાના પિયરીયાના આક્ષેપો: પાલનપુરની પરણીતાએ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હોવાની ઘટના સામે આવી છે. જોકે, પ્રેમલગ્નના એક વર્ષના સમય ગાળામાં જ પરિણીતાએ જીવન ટૂંકાવી દીધું છે. ત્યારે પતિ ના શારીરિક માનસિક ત્રાસ અને મારઝૂડથી કંટાળીને પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાના આક્ષેપો પિયરીયાઓએ કર્યો હતો. 

ડીસા તાલુકાના દામાં ગામના લક્ષ્મીચંદ નાથાલાલ ટાંકની  26 વર્ષીય પુત્રી અનિતાએ  ઇકબાલ ગઢના મહાદેવીયા ગામના ભરત બાબુજી સોલંકી સાથે એક વર્ષ અગાઉ જ પ્રેમ લગ્ન કર્યા હતા. જેઓ પ્રેમ લગ્ન બાદ પાલનપુર ખાતે શાશ્વત બંગ્લોઝમાં રહેતા હતા. જ્યાં ગઈકાલે અગમ્ય કારણોસર પરણીતા અનિતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે પાલનપુર સિવિલમાં ખસેડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, અગાઉ પરણિત અને એક સંતાનના પિતા ભરતે અનિતા સાથે બીજા લગ્ન કર્યા હતા. જે અનિતા પાસે દહેજની માંગણી કરી મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. અને  કોઈ અણબનાવ બનતા તેને મારીને લટકાવી દીધી હોવાના ચોંકાવનારા આક્ષેપો પિયરીયાઓ એ કર્યા હતા. જોકે, સમાજની અન્ય યુવતીઓ તેનો ભોગ બને નહિ તે માટે પિયર પક્ષે ન્યાયની માંગ કરતા પરણીતા ને મરવા મજબૂર કરનાર પતિ સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. જોકે, મૃતક પરિણીતા પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હોઇ પિયરીયા ઓએ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર