અમીરગઢ કિસાનોની પડતર માંગણીને લઈ મામલતદારને આવેદન આપ્યું

જૂની પડતર માંગો નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
કમોસમી વરસાદ અને વધુ કે ઓછા વરસાદને લીધે જ્યારે ત્યારે ખેડૂતોને નુકશાન ભોગવાનો વારો આવે છે. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ આખરે ખેડૂતને નુકશાન તો ભોગવવુજ રહ્યું. પરંતુ કેટલીક વાર સરકાર ખેડૂતોને રાહત આપી તેમનો બોજો હળવો કરતી હોય છે. ત્યારે આજરોજ અમીરગઢ ખેડૂતોએ જૂની પડતર માંગણીઓને લઈ અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. અને જો નિયત સમયમાં માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ખેડૂતોને વરસાદે મગફળી રાઈ જીરું વરિયાળી બાજરી સહિતના પાકોને નુકશાન થયું છે. ત્યારે તેના ઘણા ખરા સર્વે હજુ સુધી કરવામાં આવ્યા નથી. તેને જલ્દીથી કરવામાં આવે અને અન્ય માંગણીઓ પણ જલ્દીથી પૂરી થાય અને તેનું નિરાકરણ કરવામાં આવે જેથી ખેડૂતોને સહાય થઈ શકે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાભીલડી પોલીસ સ્ટેશન દ્વારા ફિટ ઇન્ડિયા મુમેન્ટ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન
2 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુર પોલીસને સફળતા: શૉ-રૂમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, ₹99,500ના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાસદભાવના ટ્રસ્ટની અનોખી પહેલ : ડીસા અને સિદ્ધપુર માટે નવા ભોજન રથ શરૂ કરાયા
2 દિવસ પહેલા
બનાસકાંઠાકંબોઇ-દુદાસણ રોડ પર અકસ્માત: રોડ સાઇડમાં ઉભેલા ટ્રેક્ટરને રેતી ભરેલા ડમ્પરની જોરદાર ટક્કર
3 દિવસ પહેલા
