અમીરગઢ કિસાનોની પડતર માંગણીને લઈ મામલતદારને આવેદન આપ્યું

જૂની પડતર માંગો નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
કમોસમી વરસાદ અને વધુ કે ઓછા વરસાદને લીધે જ્યારે ત્યારે ખેડૂતોને નુકશાન ભોગવાનો વારો આવે છે. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ આખરે ખેડૂતને નુકશાન તો ભોગવવુજ રહ્યું. પરંતુ કેટલીક વાર સરકાર ખેડૂતોને રાહત આપી તેમનો બોજો હળવો કરતી હોય છે. ત્યારે આજરોજ અમીરગઢ ખેડૂતોએ જૂની પડતર માંગણીઓને લઈ અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. અને જો નિયત સમયમાં માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ખેડૂતોને વરસાદે મગફળી રાઈ જીરું વરિયાળી બાજરી સહિતના પાકોને નુકશાન થયું છે. ત્યારે તેના ઘણા ખરા સર્વે હજુ સુધી કરવામાં આવ્યા નથી. તેને જલ્દીથી કરવામાં આવે અને અન્ય માંગણીઓ પણ જલ્દીથી પૂરી થાય અને તેનું નિરાકરણ કરવામાં આવે જેથી ખેડૂતોને સહાય થઈ શકે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠામડાલ-લાલપુર માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય: ચોમાસામાં જીવના જોખમે મુસાફરી
17 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના ડાવસમાં ગ્રીન ક્રાંતિ: 112 એકરમાં રાજ્યનું સૌપ્રથમ 'વન કવચ' તૈયાર
17 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં વન મંત્રીના જન્મદિવસે રક્તદાન કેમ્પ: 241 લોકોએ ડોનેશન કર્યું બ્લડ
17 કલાક પહેલા
બનાસકાંઠાકંબોઈ ચોકડી વિસ્તારમાં ઓવરલોડ રેતી ભરેલા 10 ડમ્પર ઝડપાયા, કરોડોનો મુદ્દામાલ જપ્ત
17 કલાક પહેલા
