અમદાવાદ બાદ હિંમતનગરના પ્રાંતિજમાંથી એક બાળકને એચએમપીવી પોઝિટિવ આવ્યો છે. ગુજરાતમાં એચએમપીવી વાયરસનો પ્રકોપ વધતો જાય છે. હિંમતનગરમાં 8 વર્ષના બાળકમાં આ વાયરસના કેસની શક્યતા સામે આવી છે. હવે અમદાવાદ બાદ પ્રાંતિજમાં પણ આ વાયરસના નવો કેસ સામે આવ્યો છે. પ્રાંતિજ તાલુકાના ગામનું 8 વર્ષનું બાળક હાલમાં હિંમતનગરની ખાનગી હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે. બાળકને હાલ અમદાવાદ ખસેડાયો છે. હિંમતનગર તાલુકાના પ્રાંતિજમાં એચએમપીવી વાયરસની શંકાએ એક 8 વર્ષના બાળકને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બાળકમાં આ રોગના લક્ષણો જોવા મળતા સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. બાળકના સેમ્પલ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. સાબરકાંઠા જિલ્લામાં એચએમપીવી વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. વિભાગ દ્વારા આ વાયરસના ફેલાવાને રોકવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ વાયરસ સામાન્ય શરદી અને ફલૂ જેવા જ લક્ષણો ઉત્પન્ન કરે છે. નાના બાળકો અને વૃદ્ધો આ વાયરસથી વધુ પ્રભાવિત થાય છે.
વાયરસના ભય વચ્ચે : હિંમતનગરમાં 8 વર્ષનું બાળક એચએમપીવી પોઝિટિવ

સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં ‘શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ’ યોજાયો
1 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં સ્વાઈન ફ્લૂનો હાહાકાર: ૩ તાલુકામાં ૪ કેસ પોઝિટિવ, ૨ દર્દીના મોત
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાના ભોલેશ્વર અને સપ્તેશ્વર મહાદેવ મંદિરે સ્વચ્છતા અભિયાન યોજાયું
5 દિવસ પહેલા
સાબરકાંઠાઈડર નાગરિક સહકારી બેંકમાં 'ગુલાબ પેનલ'નો ઐતિહાસિક વિજય: નવા સુકાનીઓની સર્વાનુમતે વરણી
5 દિવસ પહેલા
