યાત્રાધામ અંબાજી માં કમૂરતા પૂરા થયા બાદને ઉતરાયણ બાદ શુભ પ્રસંગો શરૂ થયા છે ત્યારે અંબાજી મંદિરમાં પણ અવિરત દાન નો પ્રવાહ વહી રહ્યો છે ત્યારે નડિયાદ ના બે ભક્તો દ્વારા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને રૂપિયા ૭.૬૫ લાખની કિંમત નું સોનાનું દાન અર્પણ કર્યું છે આ દાન નડિયાદ ના નિવૃત્ત શિક્ષક અને નિવૃત્ત શિક્ષિકા દ્વારા ચઢાવવામાં આવ્યું છે. આ બંને શિક્ષકો દ્વારા અંબાજી મંદિરમાં માતાજી ને ૧૦૦ ગ્રામ ના વજન વાળો સોનાનો હાર માતાજી ને અર્પણ કર્યો હતો આ બંને દાતાઓ એ દાન કરીને પોતાનું નામ ગુપ્ત રાખ્યું છે આજે મળેલો સો ગ્રામના વજન વાળો સોનાનો હારનું દાન અંબાજી મંદિર ના ટેમ્પલ ઇન્સ્પેકટર મિતેશ પંડ્યા એ સ્વીકારી ને પહોચ અર્પણ કરી હતી.
અંબાજી મંદિર ટ્રસ્ટ ને મળ્યું રૂપિયા ૭.૬૫ લાખ ની સોનાનું દાન

સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
2 દિવસ પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
3 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
3 દિવસ પહેલા
