યાત્રાધામ અંબાજીના પવિત્ર ગબ્બર પર સ્થિત માં કામાખ્યા શક્તિપીઠના દ્વાર શ્રદ્ધાળુઓ માટે પુનઃ ખોલી દેવામાં આવ્યા છે. દર વર્ષની જેમ યોજાતો પરંપરાગત અને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવો 'અંબુવાચી મહોત્સવ' વિધિવત રીતે પૂર્ણ થતાં જ શુભ મુહૂર્તમાં માતાજીના કપાટ ખોલવામાં આવ્યા હતા. મહોત્સવ દરમિયાન નિયમ મુજબ ત્રણ દિવસ માટે માતાજીના દર્શન સામાન્ય ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હતા. અંબુવાચી ઉત્સવ સંપન્ન થતાં અને મંદિરના દ્વાર ખુલતાં જ માઈભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી જ શંખનાદ અને જયઘોષ સાથે ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
અંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાની મોરથલ-ગોળીયા દૂધ મંડળીની સભામાં ભારે હોબાળો
4 કલાક પહેલા
બનાસકાંઠાડીસા રૂરલ વિસ્તારમાંથી ટીવીએસ જ્યુપીટરમાંથી દારૂ ઝડપાયો
5 કલાક પહેલા
બનાસકાંઠાડીસા-ભીલડી હાઈવે લોહિયાળ બન્યો: ૬ કલાકમાં ૪ અકસ્માત વચ્ચે એકનું મોત
2 દિવસ પહેલા
બનાસકાંઠાધાનેરાના ચકચારી અપહરણ અને દુષ્કર્મના કેસમાં ડીસા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
2 દિવસ પહેલા
