યાત્રાધામ અંબાજીના પવિત્ર ગબ્બર પર સ્થિત માં કામાખ્યા શક્તિપીઠના દ્વાર શ્રદ્ધાળુઓ માટે પુનઃ ખોલી દેવામાં આવ્યા છે. દર વર્ષની જેમ યોજાતો પરંપરાગત અને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવો 'અંબુવાચી મહોત્સવ' વિધિવત રીતે પૂર્ણ થતાં જ શુભ મુહૂર્તમાં માતાજીના કપાટ ખોલવામાં આવ્યા હતા. મહોત્સવ દરમિયાન નિયમ મુજબ ત્રણ દિવસ માટે માતાજીના દર્શન સામાન્ય ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હતા. અંબુવાચી ઉત્સવ સંપન્ન થતાં અને મંદિરના દ્વાર ખુલતાં જ માઈભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી જ શંખનાદ અને જયઘોષ સાથે ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
અંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સાપરાધ માનવવધના કેસમાં ૩ આરોપીઓને ૧૦ વર્ષની કેદ અને ૬ લાખનો દંડ
6 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા: 'અપ-ડાઉનિયા' શિક્ષકો સાવધાન! મુસાફરી કરતા શિક્ષકો સામે તવાઈ હાથ ધરાશે
6 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા અને વાવ-થરાદમાં મેઘરાજાએ લીધો વિરામ: ઉઘાડ નીકળતાં ખેડૂતોમાં આનંદનો માહોલ
6 કલાક પહેલા
બનાસકાંઠાસંસદમાં કથિત અપમાનજનક ટિપ્પણીઓ સામે સંત સમાજમાં રોષ: પાલનપુરમાં VHP સાથે મળીને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
1 દિવસ પહેલા
