શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતા માં જગતજનની અંબાના ધામમાં વૈશાખ સુદ પૂનમની ભવ્ય ઉજવણી થઈ. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટ્યા હતા. મુખ્ય પૂજારી ભટજી મહારાજે મંગળા આરતી કરી. આદિવાસી સમાજના લોકો ઢોલ સાથે મંદિરે પહોંચ્યા હતા. 'બોલ મારી અંબે જય જય અંબે'ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ગ્રીષ્મ ઋતુ દરમિયાન માતાજીની ત્રણ વાર આરતી અને શણગાર કરવામાં આવે છે. અંબાજી મંદિર દેશ-વિદેશમાં વિખ્યાત છે. દરરોજ હજારો-લાખોની સંખ્યામાં ભક્તો દૂર-દૂરથી પગપાળા સંઘ સાથે આવે છે. આજે વૈશાખ સુદ પૂનમ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે લાંબી કતારોમાં ઊભા રહ્યા હતા. માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં આખો દિવસ ભક્તિમય માહોલ રહ્યો હતો. અહીં આવતા ભક્તો માં જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. જે ભક્તિભાવનું અનોખું ઉદાહરણ છે.
અંબાજી; માઇભકતોએ માં અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી

ટેગ્સ:#Ambaji temple#Cultural Traditions#Hindu Festivals#Mangala Aarti#Maa Amba#Vaishakh Sud Poonam#Devotional Celebrations#Tribal Community Participation#Darshan Experience#Blessings and Gratitude#Unique Devotion#Popular Religious Sites
સંબંધિત સમાચાર
બનાસકાંઠાચૂંટણી ટાણે ખેડૂતોને ‘મોંઘવારીનો ડામ’: રાસાયણિક ખાતરના ભાવમાં ધરખમ વધારો, જગતનો તાત ચિંતાતુર
11 કલાક પહેલા
બનાસકાંઠાડીસાનો રાજકીય સંગ્રામ : ૩૫ બેઠકો માટે કાંટાની ટક્કર, મતદારોના મન જીતવા નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું
11 કલાક પહેલા
બનાસકાંઠાચૂંટણી પૂર્વે બનાસકાંઠાની સરહદો પર 'સીલિંગ': અમીરગઢ અને અંબાજી છાપરી બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ
12 કલાક પહેલા
બનાસકાંઠાટેટોડા હાઈવે પર સનસનાટી : અમદાવાદના વેપારીઓ લૂંટારુઓના નિશાને, ધોળે દિવસે થયેલી લૂંટથી જિલ્લા પોલીસ દોડતી થઈ
12 કલાક પહેલા
