બે લાભાર્થીને લોન મંજુર કરાવી ચેક અર્પણ કરવામાં આવ્યો
શંખેશ્વર પોલીસ સ્ટેશન તેમજ યુનીયન બેંક ઓફ ઇન્ડીયા બ્રાન્ચ શંખેશ્વરના સંયુકત ઉપક્રમે લોન મેળો યોજાયો હતો જેમાં બે લાભાર્થીને લોન મંજુર કરાવી ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક વી.કે.નાયી પાટણ તથા I/C નાયબ પોલીસ અધિક્ષક, રાધનપુર વિભાગ કુણાલસિંહ એલ.પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગ દ્રારા રાજ્યમાંથી વ્યાજખોરી નેસ્તનાબુદ કરવાના આશયથી રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં લોન મેળાનુ આયોજન કરવા જણાવેલ હોઇ જે અનુસંધાને મહત્તમ જરુરીયાતમંદ માણસોને અધિકૃત બેંન્કો પાસેથી લોન અપાવવા પ્રયાસ કરવામા આવેલ. જે અનુસંધાને શંખેશ્વર પોલીસ સ્ટેશનના સંયુકત રીતે યુનીયન બેંક ઓફ ઇન્ડીયા શંખેશ્વર બ્રાન્ચ ખાતે લોનમેળાનું આયોજન કરી જરૂરીયાતમંદ માણસોને લોન મંજુર કરાવી કુલ-૦૨ લાભાર્થીને કુલ રૂ.૪,૫૦,૦૦૦ ના ચેક અર્પણ કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.





