કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સરદાર કૃષિ યુનિવર્સીટી, ખેડબ્રહ્મા ખાતે કુલપતિ ડૉ. એસ. ડી. સોલંકીના અધ્યક્ષસ્થાને ૨૦મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકના અધ્યક્ષ ડૉ. એસ.ડી.સોલંકીએ રાસાયણિક નિર્ભરતા ઘટાડી કૃષિ પરિસ્થિતિતંત્રની સ્થિરતા જાળવવા માટે પ્રાકૃતિક કૃષિ આધારિત મોડેલ વિકસાવવા પર ભાર મૂક્યો હતો, તેમજ જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન અને વાપસા પદ્ધતિના પ્રસાર માટે વિશેષ અભિયાન ચલાવવા સૂચન કર્યું હતું.કાર્યક્રમમાં કેન્દ્રના વડા શ્રીમતી શિલ્પાબેન પી. રાઠોડે સંસ્થાનો પ્રગતિ અહેવાલ અને આગામી વર્ષનું આયોજન વિગતવાર રજૂ કર્યું હતું. બેઠકમાં ઉપસ્થિત તમામ સભ્યોએ ખેડૂતોમાં ટકાઉ અને પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ તેમજ તાલીમ વધારવા બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ બેઠકમાં યુનિવર્સીટીના સંશોધન નિયામક ડૉ.એચ.એસ.ભદોરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ.પી.એસ.પટેલ, કુલસચિવ ડૉ. પી.ટી. પટેલ સહિત વિવિધ સંશોધન કેન્દ્રોના વૈજ્ઞાનિકો, સાબરકાંઠા જિલ્લાના ખેતી તથા સંલગ્ન વિભાગોના અધિકારીઓ, એન.જી.ઓ. પ્રતિનિધિઓ અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.





