રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા2 ફેબ્રુઆરી, 2026| Super Admin

ધરણીધરના જોડીયાળી માઇનોર કેનાલમાં 15 ફૂટનું ગાબડું : ખેડૂતોને ભારે નુકસાન

ધરણીધરના જોડીયાળી માઇનોર કેનાલમાં 15 ફૂટનું ગાબડું  : ખેડૂતોને ભારે નુકસાન
વાવ થરાદ સરહદી પંથકમાં કેનાલો તૂટવાની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી ધરણીધર તાલુકાના તખતપુરા ગામની સીમમાંથી પસાર થતી જોડીયાળી માઇનોર કેનાલમાં અચાનક મોટું ગાબડું પડતા વિસ્તારમાં ફરી એકવાર નર્મદા વિભાગના તંત્રની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. અંદાજે 15 ફૂટ જેટલું મોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો બેફામ વેડફાટ થયો છે. કેનાલ તૂટવાના કારણે આસપાસના ખેતી વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું. જેનાપરિણામે ખાસ કરીને એરંડાના પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે. પાક તૈયાર થવાના સમયે પાણી ભરાવાના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલની ગુણવત્તામાં ગંભીર ખામીઓ છે. અને સમયસર મરામત તથા દેખરેખ ન રાખવાના કારણે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે. કોન્ટ્રાક્ટર અને સંબંધિત વિભાગના અધિકારીઓની બેદરકારીના પાપે ફરી એકવાર ખેડૂતને નુકસાન સહન કરવું પડ્યું છે. ઘટનાની જાણ થતા ખેડૂતોએ તાત્કાલિક સ્થળ પર સર્વે કરી પાક નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરવા તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ ઉઠાવી છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કેનાલની મજબૂત મરામત અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. સરહદી પંથકમાં પાણી જેવી અમૂલ્ય સંપત્તિનો આ રીતે વેડફાટ થતો હોવા છતાં તંત્ર દ્વારા ગંભીરતા ન દાખવવામાં આવતી હોવાનો રોષ હવે ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે.  

સંબંધિત સમાચાર