રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ19 મે, 2025| Super Admin

ખળી ચાર રસ્તા નજીક મોડી રાત્રે ખાનગી બસ પલ્ટી ખાઈ જતાં ૧૪ મુસાફરો ઘવાયા

ખળી ચાર રસ્તા નજીક મોડી રાત્રે ખાનગી બસ પલ્ટી ખાઈ જતાં ૧૪ મુસાફરો ઘવાયા
બસ ચાલકે ગફલતભરી રીતે બસ હંકારતા બસ પલટી મારી ગઈ હોવાનું મુસાફરો એ જણાવ્યું; પાટણ નાં સિદ્ધપુરમાં ખળી ચાર રસ્તા નજીક થી પૂર ઝડપે આવતી ખાનગી બસે રવિવાર ની રાત્રે અગમ્ય કારણોસર અચાનક પલટી મારતા બસમાં બેઠેલા મુસાફરો ની ચિચિયારીઓ ગુંજી ઉઠતા લોકો ધટના સ્થળે દોડી આવ્યાં હતાં અને બસમાં સવાર 14 મુસાફરોને નાની મોટી ઈજા થઈ હોય તમામ ને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રવિવારની મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ આ ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી તો બનાવની જાણ પોલીસને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી કાયૅવાહી હાથ ધરી હતી. બનાવની મળતી વિગતો અનુસાર પાટણ જીલ્લાના સિદ્ધપુરમાં ખળી ચાર રસ્તા પરથી રવિવારે મોડી રાત્રે પસાર થઈ રહેલ જોધપુરથી સુરત જતી ખાનગી બસ ચાલકે બેદરકારી ભર્યું ડ્રાઈવિંગ કરતા બસ ડિવાઈડર પર ચડી પલટી મારી ગઈ હોવાનું મુસાફરો એ જણાવ્યું હતું . અકસ્માત થતાં બસમાં બેઠેલા મુસાફરો ની ચિચિયારીઓ થી હાઈવે ગુંજી ઉઠતાં આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતા અને ઈજાગ્રસ્તોને બસની બહાર કાઢી તમામને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત ની જાણ થતાં પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ અકસ્માતમાં કુલ ૧૪ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં ૪ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે બાકીના મુસાફરો ને પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર