રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા15 જાન્યુઆરી, 2025| Super Admin

પાલનપુરમાં આકાશી યુદ્ધનો ભોગ બનેલા 100 ઘાયલ પક્ષીઓને મળ્યું નવજીવન

પાલનપુરમાં આકાશી યુદ્ધનો ભોગ બનેલા 100 ઘાયલ પક્ષીઓને મળ્યું નવજીવન
આકાશી યુદ્ધનો સૌથી વધુ ભોગ કબૂતર બન્યા: ઉત્તરાયણ એટલે પતંગ રસિકોનું પર્વ. જોકે, પતંગ રસિકો વચ્ચેના આકાશી યુદ્ધનો સૌથી વધુ ભોગ અબોલ પક્ષીઓ બનતા હોય છે. ત્યારે પાલનપુર ખાતે ઉત્તરાયણ પર્વને લઈને શહેરમાં 4 પક્ષી સારવાર કેમ્પ શરૂ કરાયા હતા. જ્યાં 100 જેટલા ઘાયલ પક્ષીઓને જીવતદાન આપવામાં આવ્યું હતું.ઉત્તરાયણ નિમિત્તે કામધેનુ યુનિવર્સીટી સરદાર કૃષિનગર અને વન વિભાગના સંયુકત ઉપક્રમે પાલનપુરમાં વિવિધ જગ્યાએ પક્ષી સારવાર કેમ્પ શરૂ કરાયા હતા. જેમાં પતંગ ની દોરીથી ઘવાયેલા 100 જેટલા પક્ષીઓને સારવાર આપી જીવતદાન અપાયું હોવાનું વેટનરીયન દત્ત રાવલે જણાવ્યું હતું. ઉત્તરાયણમાં આકાશી યુદ્ધનો સૌથી વધુ ભોગ કબૂતર બન્યા હતા. આ ઉપરાંત હોલો, ટીટોડી, બગલો, પોપટ, સમડી જેવા પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં મોટાભાગના પક્ષીઓની પાંખો કપાઈ ગઈ હતી. જેઓને ત્રણ દિવસની સારવાર બાદ મુક્ત કરવામાં આવશે તેવું વેટનરીયન એકતા વ્યાસે જણાવ્યું હતું. આમ, જીવદયાપ્રેમીઓ અને કરુણા અભિયાનને લઈને પાલનપુરમાં 100 જેટલા ઘાયલ પક્ષીઓને નવજીવન મળ્યું હતું.

સંબંધિત સમાચાર