રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા12 જુલાઈ, 2025| Super Admin

ધાનેરાના માલોત્રાનો યુવક ટ્રેનની અડફેટે ગંભીર હદે ઘાયલ

ધાનેરાના માલોત્રાનો યુવક ટ્રેનની અડફેટે ગંભીર હદે ઘાયલ

ધાનેરા તાલુકાના માલોત્રા ગામના ૩૫ વર્ષીય  જેન્તીભાઈ ગગડદાસભાઈ પટેલ (મુંજી) ગઈ મોડી રાત્રિના જાડી અને ધાનેરા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનની અડફેટમાં આવી જતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના બાદ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જેન્તીભાઈને પ્રથમ ધાનેરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ધાનેરાની આયુષ નામની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે ભીલડી રેલવે પોલીસ સ્ટેશનના ભાવાભાઈ આયદાનભાઈએ જાણવા જોગ ફરિયાદ નોંધ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જોકે, યુવક ટ્રેન અડફેટમાં કયા કારણોસર આવ્યો ? તે અંગેનું કારણ હજુ અકબંધ છે અને પોલીસ તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે.ઇજા પામનારને રેલ્વે પાટાની સાઇડમાં પડેલ જોતા ટ્રેનના ડ્રાઈવરે ધાનેરા રેલ્વે માસ્ટરને જાણ કરતા તેમણે ભીલડી રેલ્વે પોલીસને જાણ કરેલ.

સંબંધિત સમાચાર