રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા9 જૂન, 2025| Super Admin

વાવ ના ભાટવરવાસ પ્રા. કેન્દ્રમાં થતી ગેરરીતિ ઓના મુદ્દે આરોગ્ય કમિશનર ને લેખિત રજુઆત

વાવ ના ભાટવરવાસ પ્રા. કેન્દ્રમાં થતી ગેરરીતિ ઓના મુદ્દે આરોગ્ય કમિશનર ને લેખિત રજુઆત

વાવ તાલુકાના ભાટવરવાસ પ્રા.આરોગ્ય કેન્દ્રમાં થતી ગેરરીતિઓ ના મુદ્દે ગામના જાગૃત નાગરિક કેતનભાઈ શામજી ભાઈ ગોહિલે આરોગ્ય કમિશનર ગાંધીનગર તેમજ પી.એમ. ઓ અને સી.એમ.ઓ ખાતે લેખિત માં રજુઆત કરી ન્યાયની માંગ કરી છે. જેમાં જણાવ્યું છે. કે વાવ તાલુકાના ભાટવરવાસ પ્રા.આરોગ્ય કેન્દ્રમાં ચાલતી રોગી કલ્યાણ સમિતિની બેઠક બોલવામાં આવતી નથી. ખોટા ઠરાવો એજન્ડા લાવી ગ્રાન્ટનો દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વધુ માં પ્રા.આરોગ્ય કેન્દ્રમાં જાહેરાત વિના વર્ગ 4 ની ભરતી ઓ કરવામાં આવી રહી છે. જે મુદ્દે ફોજદારી ગુનાની માંગ કરાઈ છે. ઇમરજન્સી સારવાર માટે સગર્ભા માતાઓ રીફર કરવા માટે આપવામાં આવેલી એમ્બ્યુલન્સ પ્રા.આરોગ્ય કેન્દ્ર માં જોવા મળતી નથી. સ્ટાફની ગેરહાજરી  રહેતી હોવાથી બાયોમેટ્રિક જિલ્લા રાજ્ય લેવલ થી સેટ કરી તપાસ કરવામાં આવે તેમજ પ્રા.આરોગ્ય કેન્દ્ર માં લેબોરેટરી હોવા છતાં બહારની પ્રાઇવેટ લેબમાં દર્દીઓને મુકવામાં આવે છે. આ મુદ્દે અગાઉ મૌખિક રજુઆત કરાઈ હતી.પરંતુ સ્થાનિક અધિકારીઓએ તપાસ કરતાં ન્યાય મળેલ નથી. જેથી આ બાબતની તપાસ કોઈ ઉચ્ચ અધિકારીઓ સોંપી નિષ્પક્ષ તપાસ કરવાની અરજદારે માંગ કરી છે. જો યોગ્ય ન્યાય નહિ મળે તો હાઈ કોર્ટમાં જી ન્યાયની માંગ કરવાનું જણાવ્યું છે.

સંબંધિત સમાચાર