પાણીના નિકાલ માટે નવા નાળાનું નિર્માણ થશે; ડીસા શહેરના વોર્ડ નં. ૨ માં આવેલી ગુલબાણીનગર સોસાયટીમાં ચોમાસા દરમિયાન ગટરના ગંદા પાણી ઘરોમાં ઘૂસી જવાની સમસ્યાનો આખરે ઉકેલ આવતો દેખાઈ રહ્યો છે. થોડા વર્ષો પહેલા નગરપાલિકા દ્વારા નાળાની યોગ્ય સફાઈ કર્યા વિના જ તેને ઢાંકી દેવાયું હતું, જેના કારણે ભારે વરસાદમાં ગટર ઓવરફ્લો થઈ હતી અને ગટરનું ગંદુ પાણી સોસાયટીના રહીશોના ઘરોમાં ઘૂસી ગયું હતું. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ સમસ્યાને લઈને સોસાયટીના રહીશોએ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી હતી, જેના પગલે આજરોજ નગરપાલિકાના ઉપપ્રમુખ અને વોર્ડ નં. ૨ ના સદસ્ય શૈલેષભાઈ રાયગોરની ઉપસ્થિતિમાં ગટરનું જૂનું નાળું તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન નાળામાંથી ત્રણ ટ્રેક્ટર ભરીને કચરો કાઢવામાં આવ્યો હતો. હવે, આ નાળું તોડીને વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે નવું નાળું બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય. સ્થાનિકોએ આ કામગીરીને આવકારી છે અને આશા વ્યક્ત કરી છે કે નવા નાળાનું નિર્માણ વહેલી તકે પૂર્ણ થશે.
ડીસાની ગુલબાણીનગર સોસાયટીમાં ગટરનું નાળું તોડવાની કામગીરી શરૂ

ટેગ્સ:#Local Governance#Urban Development#Deesa City#Municipal Action#Infrastructure Repair#Public Health Concern#Rainwater Disposal#Sewage Overflow#Drainage Issues#Gulbani Nagar Society#Monsoon Flooding#Civic Response#Resident Relief
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુરના બાદરગઢ ગ્રામસભાનો મોટો નિર્ણય: 1 સપ્ટેમ્બરથી દારૂ અને ગુટખાના વેચાણ પર પ્રતિબંધ
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુર હાઇવે વિસ્તારમાંથી યુવકનો મૃતદેહ મળ્યો
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં વાહન ચોરીના 45 થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાકાંકરેજના આકોલીના રાધાકૃષ્ણ મંદિરમાં ચોરી: ચાંદીના મુગટ અને છત્ર ચોરાયા
1 દિવસ પહેલા
