રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
બનાસકાંઠા21 ઑગસ્ટ, 2025| Super Admin

ડીસાની ગુલબાણીનગર સોસાયટીમાં ગટરનું નાળું તોડવાની કામગીરી શરૂ

ડીસાની ગુલબાણીનગર સોસાયટીમાં ગટરનું નાળું તોડવાની કામગીરી શરૂ

પાણીના નિકાલ માટે નવા નાળાનું નિર્માણ થશે; ડીસા શહેરના વોર્ડ નં. ૨ માં આવેલી ગુલબાણીનગર સોસાયટીમાં ચોમાસા દરમિયાન ગટરના ગંદા પાણી ઘરોમાં ઘૂસી જવાની સમસ્યાનો આખરે ઉકેલ આવતો દેખાઈ રહ્યો છે. થોડા વર્ષો પહેલા નગરપાલિકા દ્વારા નાળાની યોગ્ય સફાઈ કર્યા વિના જ તેને ઢાંકી દેવાયું હતું, જેના કારણે ભારે વરસાદમાં ગટર ઓવરફ્લો થઈ હતી અને ગટરનું ગંદુ પાણી સોસાયટીના રહીશોના ઘરોમાં ઘૂસી ગયું હતું. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ સમસ્યાને લઈને સોસાયટીના રહીશોએ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી હતી, જેના પગલે આજરોજ નગરપાલિકાના ઉપપ્રમુખ અને વોર્ડ નં. ૨ ના સદસ્ય શૈલેષભાઈ રાયગોરની ઉપસ્થિતિમાં ગટરનું જૂનું નાળું તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન નાળામાંથી ત્રણ ટ્રેક્ટર ભરીને કચરો કાઢવામાં આવ્યો હતો. હવે, આ નાળું તોડીને વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે નવું નાળું બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય. સ્થાનિકોએ આ કામગીરીને આવકારી છે અને આશા વ્યક્ત કરી છે કે નવા નાળાનું નિર્માણ વહેલી તકે પૂર્ણ થશે.

સંબંધિત સમાચાર