પાણીના નિકાલ માટે નવા નાળાનું નિર્માણ થશે; ડીસા શહેરના વોર્ડ નં. ૨ માં આવેલી ગુલબાણીનગર સોસાયટીમાં ચોમાસા દરમિયાન ગટરના ગંદા પાણી ઘરોમાં ઘૂસી જવાની સમસ્યાનો આખરે ઉકેલ આવતો દેખાઈ રહ્યો છે. થોડા વર્ષો પહેલા નગરપાલિકા દ્વારા નાળાની યોગ્ય સફાઈ કર્યા વિના જ તેને ઢાંકી દેવાયું હતું, જેના કારણે ભારે વરસાદમાં ગટર ઓવરફ્લો થઈ હતી અને ગટરનું ગંદુ પાણી સોસાયટીના રહીશોના ઘરોમાં ઘૂસી ગયું હતું. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ સમસ્યાને લઈને સોસાયટીના રહીશોએ નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી હતી, જેના પગલે આજરોજ નગરપાલિકાના ઉપપ્રમુખ અને વોર્ડ નં. ૨ ના સદસ્ય શૈલેષભાઈ રાયગોરની ઉપસ્થિતિમાં ગટરનું જૂનું નાળું તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન નાળામાંથી ત્રણ ટ્રેક્ટર ભરીને કચરો કાઢવામાં આવ્યો હતો. હવે, આ નાળું તોડીને વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે નવું નાળું બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી સમસ્યા ન સર્જાય. સ્થાનિકોએ આ કામગીરીને આવકારી છે અને આશા વ્યક્ત કરી છે કે નવા નાળાનું નિર્માણ વહેલી તકે પૂર્ણ થશે.
ડીસાની ગુલબાણીનગર સોસાયટીમાં ગટરનું નાળું તોડવાની કામગીરી શરૂ

ટેગ્સ:#Local Governance#Urban Development#Deesa City#Municipal Action#Infrastructure Repair#Public Health Concern#Rainwater Disposal#Sewage Overflow#Drainage Issues#Gulbani Nagar Society#Monsoon Flooding#Civic Response#Resident Relief
સંબંધિત સમાચાર
બનાસકાંઠાગાયત્રી મંત્રોથી ગુંજી ઉઠશે માલગઢ : સંસ્કાર કેન્દ્રના પાટોત્સવ નિમિત્તે દિવ્ય મહાયજ્ઞનું આયોજન
20 કલાક પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં કેસરીયો માહોલ : જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ‘વિકાસ સંકલ્પ સભા’ યોજાઈ
21 કલાક પહેલા
બનાસકાંઠાચૂંટણી ટાણે ખેડૂતોને ‘મોંઘવારીનો ડામ’: રાસાયણિક ખાતરના ભાવમાં ધરખમ વધારો, જગતનો તાત ચિંતાતુર
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાનો રાજકીય સંગ્રામ : ૩૫ બેઠકો માટે કાંટાની ટક્કર, મતદારોના મન જીતવા નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું
1 દિવસ પહેલા
