સાબરકાંઠા જિલ્લાના ચાર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે ખેડબ્રહ્માના દમાવાસમાં બરફના કરા પડ્યા હતા. કમોસમી વરસાદને લઈને વરીયાળી, જીરું, ઘઉં, રાયડો, ચણા અને બટાકાના પાકને નુકશાનની ભીતિ સર્જાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારથી વાતવરણમાં પલટો આવ્યો હતો. પવન પણ ફૂંકાયો હતો. ત્યારે રાત્રી દરમિયાન હિંમતનગર, ઇડર, વડાલી અને ખેડબ્રહ્મા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારના કેટલાક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસવાને લઈને રોડ પર પાણી વહેવા લાગ્યું હતું. ખેડબ્રહ્મા તાલુકાના દમાવાસ ગામે રાત્રી દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ સાથે બરફના કરા પડ્યા હતા. વાસણા કમ્પા ધનાલ કમ્પા, પ્રતાપગઢ કમ્પા, જામરેલા કમ્પા, દેરોલ કમ્પા, તાંદલિયા કમ્પા, આંતરી કમ્પા સહિતના વિસ્તારમાં માવઠું થયું હતું. જેને લઈને વરીયાળી, ચણા અને બટાકાના પાકમાં નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. શિયાળામાં માવઠાને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી ચાર તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં હિંમતનગર 01 મિમી, ઇડર 06 મિમી, ખેડબ્રહ્મા 04 મિમી અને વડાલી 07 મિમી વરસાદ નોંધાયો છે.
સાબરકાંઠા જિલ્લાના ચાર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો : પાકને નુકશાનની ભીતિ

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં હિંમતનગર નગરપાલિકા ખાતે ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ
2 દિવસ પહેલા
સાબરકાંઠાવડાલી પોલીસે કોંગ્રેસના ૨૦થી વધુ કાર્યકરોની અટકાયત કરી; ગાંધીનગર કિસાન યાત્રામાં જતાં જ રોક્યા
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાની તલોદ પોલીસની મોટી સફળતા: ડીઝલ ચોરી કરતી ટોળકીના બે સાગરીતો ઝડપાયા
5 દિવસ પહેલા
સાબરકાંઠાઈડરથી ‘પ્રગતિ પથયાત્રા’નો ભવ્ય પ્રારંભ: સાંસદ શોભનાબેન બારૈયાએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી
1 અઠવાડિયા પહેલા
