રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
મહેસાણા31 માર્ચ, 2026| Super Admin

ઉંઝાના કોર્પોરેટરની સફળ રજૂઆત, વણાગલા રોડ પર નવીન વીજ ફીડર માટે ૨ વીઘા જમીન ફાળવાઈ

ઉંઝાના કોર્પોરેટરની સફળ રજૂઆત, વણાગલા રોડ પર નવીન વીજ ફીડર માટે ૨ વીઘા જમીન ફાળવાઈ

ઉંઝા નગરપાલિકાના વોર્ડ નં.૫ ના કોર્પોરેટર અલ્કેશભાઈ પટેલ દ્વારા રામપુરા ફિડરમાં વારંવાર વિજ પુરવઠો ખોરવાતાં પડતી હાલાકી બાબતે ઉત્તર ગુજરાત વિજ કંપની મહેસાણાના મેનેજીંગ ડિરેક્ટરને ઈમેલ દ્વારા લેખિત રજૂઆત કરાઈ હતી. જે રજુઆતને નવ માસ બાદ ઉત્તર ગુજરાત વીજ કંપની એ નવીન ફીડર માટે વણાગલા રોડ પર ૨ વીઘા જમીન ફાળવણી કરવામાં આવી છે. 

ઊંઝામાં સૌથી મોટો વિસ્તાર ધરાવતુ ફીડર રામપુરા ફિડર છે. રામપુરા ફિડરનું વિસ્તાર અને વિજળીનો લોડ ઘટાડવા આજદિન સુધી કોઈજ પગલાં લેવાયા નહોતાં. છેવટે ઊર્જામંત્રી તથા મુખ્યમંત્રી સમક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. જે વાત ને નવ મહિના બાદ આજરોજ રામપુરા ફીડરમાં ઉનાળામાં વીજ પુરવઠો ખોરવાતો અને પડતી હાલાકીમાંથી બચવા નવો વૈજનાથ મહાદેવ ફીડર બનાવવા ઉત્તર ગુજરાત વીજ કંપનીને કરેલ રજૂઆતને પગલે ઉત્તર ગુજરાત વીજ કંપની એ નવીન ફીડર વણાગલા રોડ ઊંઝા એગ્રો કંપનીની બાજુમાં ૩૭૫૦સ્ક્વેર મીટર એટલે ૨ વીઘા જમીન ફાળવણી કરતા વોર્ડ નં.૫ ના રહીશોએ હાશકારો અનુભવ્યો છે. 

ઊંઝા ધારાસભ્ય તથા નગરપાલિકા પૂર્વ પ્રમુખ જિજ્ઞાબેન પટેલ વારંવાર રજૂઆત કરી જમીન સંપાદનનું કામ પૂર્ણ કરેલ છે. આ સમયે ડી.એલ.આર. સર્વેયર ભાવશીભાઈ રાજપુત, સર્કલ નરેન્દ્રભાઈ આચાર્ય તથા ઊંઝા તલાટી કિર્તીભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર