ઉપસ્થિત તજજ્ઞો દ્રારા પંચાયતી રાજ વિશે માહિતી આપવામાં આવી
ઊંઝા તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતોના લોકપ્રતિનિધિઓ માટે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત વિશેષ 'કેપેસિટી બિલ્ડીંગ' (ક્ષમતા વર્ધન) તાલીમ કાર્યક્રમનું આયોજન બીઆરસી ભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગનો મુખ્ય હેતુ ગ્રામીણ સ્તરે વહીવટ વધુ સુદ્રઢ બને અને પંચાયતી રાજની યોજનાઓનો અસરકારક અમલ થઈ શકે તે માટે લોકપ્રતિનિધિઓને સજ્જ કરવાનો છે. આ તાલીમમાં ઊંઝા તાલુકાના ઉપેરા, કરલી, કરણપુર, કહોડા, કામલી, ખટાસણા, જગન્નાથપુરા, દાસજ, લીહોડા, ભાંખર, ગંગાપુરા, ભુણાવ, મહેરવાડા, રણછોડપુરા, વણાગલા, ભવાનીપુરા તેમજ હાજીપુર સહિત કુલ ૧૭ ગામોના સરપંચઓ તથા ગ્રામ પંચાયતના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં ઉપસ્થિત તજજ્ઞો દ્રારા પંચાયતી રાજ વિશે ખુબજ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યકમમાં ઊંઝા તાલુકા પંચાયતના ટીડીઓ જીગરભાઈ પટેલ, ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ હિનલબેન દેસાઈ તેમજ અધિકારી ગણ તેમજ તલાટી કમ મંત્રી અને સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યાં હતા.





