ઊંઝા શહેરમાં બે દિવસથી વરસાદ માહોલ જામ્યો છે. ત્યારે ગત રાત્રે ઉમિયા નગર વિસ્તારમાં છાપરું બનાવી રહેતા શ્રમજીવી પરિવારની મહિલા પર ઝાડ પડતા તેનું કરૂણ મોત નિપજ્યું હતું. મૃતકનું નામ રમીલાબેન હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર ઊંઝા શહેરમાં હવામાન વિભાગની આગાહીને લઈ છેલ્લા બે દિવસથી વરસાદ માહોલ સર્જાયો છે. જેને લઈ વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી છે. વરસાદને લઈ રાત્રિના સમયે ઊમિયા નગર વિસ્તારમાં શ્રમજીવી પરિવારની મહિલા રમીલાબેન બદ્રીલાલ કથોડી ઉવ. 38 પોતાના છાપરામાં રસોઈ બનાવતી હતી. ત્યારે ઘરની નજીક આવેલ ખીજડાનું ઝાડ ભારે વરસાદ અને પવનને લઈ પડતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઊંઝામાં રાત્રે ઝાડ પડતા મહિલાનું મોત નિપજ્યું

ટેગ્સ:#Unjha
સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરમાં ઈનોવામાં ₹3.55 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
2 દિવસ પહેલા
મહેસાણામહેસાણા પોલીસની મોટી કાર્યવાહી: કેબલ ચોરી કરતી ચાર શખ્સોની ગેંગ ઝડપાઈ, ૧.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત
4 દિવસ પહેલા
મહેસાણાકડીની રામેશ્વર સોસાયટીમાં દારૂનો વેપલો પર્દાફાશ: ૧૪.૨૨ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ
6 દિવસ પહેલા
મહેસાણાઊંઝાથી મોરબી નવિન એસટી બસ સેવાનો પ્રારંભ
1 અઠવાડિયા પહેલા
