ઊંઝા શહેરમાં બે દિવસથી વરસાદ માહોલ જામ્યો છે. ત્યારે ગત રાત્રે ઉમિયા નગર વિસ્તારમાં છાપરું બનાવી રહેતા શ્રમજીવી પરિવારની મહિલા પર ઝાડ પડતા તેનું કરૂણ મોત નિપજ્યું હતું. મૃતકનું નામ રમીલાબેન હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર ઊંઝા શહેરમાં હવામાન વિભાગની આગાહીને લઈ છેલ્લા બે દિવસથી વરસાદ માહોલ સર્જાયો છે. જેને લઈ વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી છે. વરસાદને લઈ રાત્રિના સમયે ઊમિયા નગર વિસ્તારમાં શ્રમજીવી પરિવારની મહિલા રમીલાબેન બદ્રીલાલ કથોડી ઉવ. 38 પોતાના છાપરામાં રસોઈ બનાવતી હતી. ત્યારે ઘરની નજીક આવેલ ખીજડાનું ઝાડ ભારે વરસાદ અને પવનને લઈ પડતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ઊંઝા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઊંઝામાં રાત્રે ઝાડ પડતા મહિલાનું મોત નિપજ્યું

ટેગ્સ:#Unjha
સંબંધિત સમાચાર
મહેસાણાકડી પોલીસે 3.60 લાખના મુદ્દામાલ સાથે બે તસ્કરોને પકડી પાડ્યા
5 દિવસ પહેલા
મહેસાણાબહુચરાજી APMCની ચૂંટણીના ફોર્મ ભરવાના શરૂ: 9 સપ્ટેમ્બરે મતદાન યોજાશે
5 દિવસ પહેલા
મહેસાણાઊંઝાના ડાભી ગામે મકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ : જાનહાનિ ટળી
5 દિવસ પહેલા
મહેસાણાકડીના દેઉસણા ગામે પોલીસની મોટી રેડ: બાવળની ઝાડીઓમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર્દાફાશ
1 અઠવાડિયા પહેલા
