હિંમતનગરના RTO સર્કલ નજીકથી ગત રાત્રીએ ભંગાર વીણતા શ્રમિક પરિવારની બે માસની બાળકીનું અપહરણ થયું છે. બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો બાળકીને ઉઠાવી ગયા હતા. આ અંગે બાળકીના પિતાએ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. બાઇક પર એક પુરુષ અને એક સ્ત્રી સહિત બે અજાણ્યા ઇસમો બાળકીનું અપહરણ કરીને હિંમતનગરથી વિજાપુર તરફના રસ્તે ભાગી ગયા હતા. બાળકી ન દેખાતા શ્રમિક માતા-પિતા ડઘાઈ ગયા હતા અને તાત્કાલિક તેની શોધખોળ શરૂ કરી હતી. જોકે, બાળકીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. સમગ્ર ઘટનાની જાણ હિંમતનગર ગ્રામ્ય પોલીસને થતા PI એચ.આર.હેરભાએ તાત્કાલિક તપાસ માટે ટીમ રવાના કરી હતી. પોલીસે બાળકીના પિતા કલાભાઈ ભાંભોર પાસેથી બાળકીનું વર્ણન અને અન્ય વિગતો મેળવી હતી. આધારભૂત માહિતીના આધારે, ગ્રામ્ય પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક પોલીસ, LCB અને SOG શાખાની અલગ અલગ ટીમો CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સ દ્વારા અપહરણકર્તાઓને શોધવા માટે સઘન પ્રયાસો કરી રહી છે.
હિંમતનગર RTO સર્કલ પાસેથી બે માસની બાળકીનું અપહરણ : પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગર 'હર ઘર તિરંગા' યાત્રાથી દેશભક્તિના રંગે રંગાયું
4 દિવસ પહેલા
સાબરકાંઠાઇડર નાગરિક સહકારી બેંક ચૂંટણી: સમરસ પેનલના ઉમેદવારોએ ચૂંટણી કાર્યાલય ખોલ્યું
5 દિવસ પહેલા
સાબરકાંઠાઇડર-વડાલીમાં 'હર ઘર તિરંગા-૨૦૨૬' અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
5 દિવસ પહેલા
સાબરકાંઠા'હર ઘર તિરંગા': જિલ્લા કચેરીઓમાં ગુંજ્યું 'વંદે માતરમ'
6 દિવસ પહેલા
