રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ16 મે, 2025| Super Admin

પાટણનાં માતપુર પાસે ઈકો અને રીક્ષા વચ્ચે સજૉયેલ અકસ્માતમાં બે ના મોત એક ઘાયલ

પાટણનાં માતપુર પાસે ઈકો અને રીક્ષા વચ્ચે સજૉયેલ અકસ્માતમાં બે ના મોત એક ઘાયલ

પાટણ તાલુકાનાં માતપુર નજીક ના ગોડાઉન આગળ ગોગા મહારાજનાં મંદિરની સામે ગતરોજ સાંજે ૮-૩૦ વાગ્યાનાં સુમારે ઇકો ગાડી અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રીક્ષા ચાલક સહિત કેટલાકને ઇજા થતાં સારવાર માટે ખસેડાતાં સારવાર દરમિયાન રિક્ષા ચાલક સહિત એક વ્યક્તિ નું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિ ને ઈજાઓ પહોંચી હોય સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત અંગેની મળતી વિગતો મુજબ પાટણ તાલુકાનાં માતપુર ગામે રહેતા અરજણભાઇ ધનાભાઈ પરમાર (ઉ.વ. ૬૫) ગત રોજ પાટણનાં ડાભી ગામેથી મજુરી કરીને પોતાનાં ગામ માતપુર જવા માટે તેમનાં ગામનાં ભરતભાઈ બાબુભાઈ પરમારની રીક્ષામા અન્ય એક મુસાફર ગામનાં મહેન્દ્રભાઈ મફાભાઈ પરમાર રે. માતપુર તા. પાટણ પણ બેઠેલા હતા. તેમની સાથે રીક્ષામાં બેસીને માતપુર જઇ હતાં. માતપુર ગામ પાસે ગોગા મહારાજના મંદિર નજીક સાંજના સાડા આઠેક વાગ્યે એક ઇકો ગાડીએ રીક્ષાને ટક્કર મારતાં રીક્ષા પલ્ટી મારી જતાં રીક્ષાનાં ચાલક ભરતભાઈ અને બે મુસાફરો અરજણભાઈ અને મહેન્દ્રભાઈ ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેઓને ૧૦૮માં પાટણની ધારપુર સિવિલમાં સારવાર માટે ખસેડાતાં રીક્ષા ચાલક ભરતભાઈ અને મુસાફર મહેન્દ્રભાઇને ગંભીર ઇજાઓ થયેલી હોવાથી તેઓનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા હતાં.જ્યારે અરજણભાઇને ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેઓએ ઇકો ચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર