હિંમતનગરના મહાવીરનગરમાં તુલસી પૂજન દિવસ નિમિતે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો આવતા જતા શહેરીજનોને છોડ સાથે પુસ્તિકા આપવામાં આવી હતી. ત્યારે હિંમતનગર ના મહાવીરનગર ચાર રસ્તે આસારામ બાપુના ભક્તો દ્વારા તુલસીનો ક્યારો મુકવામાં આવ્યો હતો. જેનું પૂજન અર્ચન કરી દીપ પ્રગટાવી હતી. ત્યાર બાદ સૌ ભક્તો હાથમાં પ્લાસ્ટિકની થેલીમાં માહિતી પુસ્તિકા સાથે તુલસીનો છોડ રાખી આવતા જતા શહેરીજનોને તુલસીના છોડ વિતરણ કરવામાં આવ્યા હતા. અંદાજે 1800 જેટલા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ,વડીલો,યુવક,યુવતીઓ અને બાળકો પણ આ તુલસી વિતરણ કાર્યક્રમમાં જોડાયા હતા. તો વાહન ચાલકો અને શહેરીજનોને તુલસી પૂજન દિવસની શુભકામનાઓ સાથે જાગૃતિ આપીને છોડ આપવામાં આવ્યા હતા.
તુલસી પૂજન દિવસ નિમિતે તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠા: ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપાઈ, 4 સામે ગુનો દાખલ, એક ઝડપાયો
21 કલાક પહેલા
સાબરકાંઠાતલોદ-હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બે યુવકોના મોતથી પંથકમાં અરેરાટી
1 દિવસ પહેલા
સાબરકાંઠાડીએપી ખાતરમાં કમરતોડ ભાવ વધારો : સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ઉગ્ર રોષ
1 દિવસ પહેલા
સાબરકાંઠાચોરીવાડ દૂધ મંડળીના 50 વર્ષ પૂર્ણ: સાબર ડેરીના ચેરમેનની અધ્યક્ષતામાં ઉજવાયો સુવર્ણ જયંતિ મહોત્સવ
5 દિવસ પહેલા
