પાલનપુર નેશનલ હાઇવે પર ચેકપોસ્ટથી એરોમા સર્કલ સુધીના રસ્તા પર મોટા ખાડાઓ પડ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ ખાડાઓની મરામત કરવામાં આવી નથી. અકસ્માતની સંભાવના જોતાં ટીઆરબી જવાનોએ પોતાની રીતે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરી છે. આ વિસ્તારમાં જ નેશનલ હાઇવે ઓથોરિટીની કચેરી આવેલી છે. તેમ છતાં અધિકારીઓ આ સમસ્યા પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યા છે. રસ્તા પરના ખાડાઓને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં ટીઆરબી જવાનોએ પહેલ કરીને ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું છે. આ બાબત નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરી સામે પ્રશ્નો ઉભા કરે છે.
પાલનપુર હાઇવે પર ટિયારબી જવનોએ ખાડા પુરવાની કામગીરી હાથ ધરી; હાઇવે ઓથોરિટી સામે પ્રશ્નો

ટેગ્સ:#Road Safety#Aroma Circle#Accident Prevention#National Highway Authority#Infrastructure Maintenance#Pothole Filling#TRB Jawans#Palanpur National Highway#Highway Negligence#Public Initiative
સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામના ખેડૂતો સરકાર સામે લાલઘૂમ: મગરવાડામાં કિસાન સંઘ સાથે બેઠક યોજી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું
10 કલાક પહેલા
બનાસકાંઠાહની ટ્રેપનો પર્દાફાશ: આધેડ કોન્ટ્રાક્ટરને ચંડીસર બોલાવી રૂ. 5 લાખ પડાવ્યા, બેની ધરપકડ
11 કલાક પહેલા
બનાસકાંઠાછાપી વિસ્તારમાં કેબલ ચોરી કરનારા શખ્સો પોલીસના સકંજામાં: મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ
11 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાના ખેડૂતો માટે 'સુવર્ણ અવસર': ₹67 કરોડના ખર્ચે રાજ્યનો પ્રથમ 'PINS' પ્રોજેક્ટ મંજૂર
12 કલાક પહેલા
