પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ અસહ્ય બન્યો છે ત્યારે ગરમીથી રાહત અનુભવવા લાકો કેનાલો અને તળાવમાં નાહવા પડતા હોય છે ત્યારે ક્યારેક ગરમી થી બચવા નહાવા માટે પડતા લોકોનું ડુબી જવાથી મોત નિપજતુ હોવાની ધટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. આવી જ એક ધટના ગતરોજ હારીજ તાલુકાના વાધેલ ગામના તળાવમા એક શ્રમિકનુ ડુબી જવાથી મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે.
મૂળ મહિસાગર ના વતની નાયકા ભોજાભાઈ ગતરોજ બપોરે ગરમી થી રાહત મેળવવા વાધેલ ગામના તળાવમા નાહવા પડ્યો હતો પરંતુ તેઓ તળાવના ઉડા પાણીમાં ગરક થતાં અને બનાવની જાણ ગ્રામજનોને થતાં સ્થાનિક તરવૈયાઓ ની મદદથી લાશને બહાર કાઢવામાં આવી હતી. આ બનાવને પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી ગ્રામજનોએ માનવતાની ભાવના સાથે મૃતકની લાશને તેના માદરે વતન મહિસાગર મોકલવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





