રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
પાટણ31 માર્ચ, 2025| Super Admin

રાધનપુરમાં 3 માસમાં 8 ચોરીના બનાવો પગલે વેપારીઓમાં આક્રોશ

રાધનપુરમાં 3 માસમાં 8 ચોરીના બનાવો પગલે વેપારીઓમાં આક્રોશ
પોલીસ નિષ્ક્રિય મામલે ધારાસભ્ય અને ડી.વાય.એસપી ને રજૂઆત કરી ભૂખ હડતાળની ચીમકી આપી; રાધનપુર શહેરમાં વેપારી એસોસિયેશને ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. છેલ્લા ત્રણ માસમાં થયેલી 8 જેટલી ચોરીઓના કિસ્સામાં પોલીસ તંત્રની નિષ્ક્રિયતાને લઈને વેપારીઓએ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને ડી.વાય.એસપી ડી.ડી. ચૌધરીની હાજરીમાં રામવાડી ખાતે મિટિંગ યોજી હતી. આ મિટિંગમાં વેપારીઓએ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું. કે આટલી આટલી ચોરીની ધટના બનવા છતાં કેટલીક ચોરીઓની પોલીસ ફરિયાદો જ લેતી નથી. તો વળી નોંધાયેલી ફરિયાદોમાં પણ કોઈ તટસ્થ તપાસ કરાતી ન હોય જેના કારણે આજદિન સુધી એક પણ ચોર કે ચોર ગેંગ પકડાઈ નથી જેથી વેપારીઓએ સલામતીની ચિંતા વ્યક્ત કરી રાત્રે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માગણી કરી જો આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો વેપારીઓએ નાયબ કલેક્ટર કચેરી ખાતે ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી આપી જરૂર પડ્યે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સુધી રજૂઆત કરવા જશે તેવો આક્રોશ વ્યકત કર્યો હતો. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે અને ડી.વાય.એસપી ડી.ડી ચૌધરીએ આ રજુઆત બાબતે ખાસ નોંધ લઈ રાધનપુરમાં થયેલી ચોરીઓ પકડી રાધનપુર બજારની અંદર રાત્રી પેટ્રોલિંગ વધારવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી.

સંબંધિત સમાચાર