રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા21 ઑગસ્ટ, 2025| Super Admin

​ડીસાના જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાતાં વેપારીઓ અને વાહન ચાલકો પરેશાન

​ડીસાના જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાતાં વેપારીઓ અને વાહન ચાલકો પરેશાન
વરસાદી પાણીના યોગ્ય નિકાલની ઉગ્ર માંગ ઉઠી; ડીસા શહેરના ઔદ્યોગિક વિસ્તાર જીઆઈડીસીમાં ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા વિકરાળ બની છે. આ વિસ્તારમાં અનેક નાના-મોટા ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી અહીં વાહનોની અવરજવર સતત ચાલુ રહે છે, પરંતુ વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી વેપારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે ચોમાસામાં જીઆઈડીસીના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જાય છે. આ પાણી કલાકો સુધી ભરાયેલું રહે છે, જેના કારણે વાહનોની અવરજવરમાં મોટી અડચણ ઊભી થાય છે. ખાસ કરીને ભારે વાહનો અને ટ્રકોને પસાર થવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત, ભરાયેલા પાણીથી વેપારીઓના માલસામાનને નુકસાન થવાનો ભય પણ રહે છે. વરસાદી પાણી ભરાવાને કારણે રોડ-રસ્તા પણ જર્જરિત થઈ રહ્યા છે, જે અકસ્માતનું કારણ બની શકે છે. સ્થાનિક ઉદ્યોગકારો અને કામદારો દ્વારા આ સમસ્યા અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જીઆઈડીસીના સંચાલકો કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ પાણીના નિકાલ માટે કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં ન આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓની માગ છે કે આ વિસ્તારમાં તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા અથવા અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેથી ચોમાસા દરમિયાન થતી મુશ્કેલીઓનો અંત આવે અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સુચારુરૂપે ચાલી શકે. જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહિ આવે તો વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડશે.

સંબંધિત સમાચાર