સિદ્ધપુરમાં હંસાબાના સ્મરણાર્થે નિમૉણ પામનાર દેવીપૂજક સમાજની જ્ઞાતિ વાડીનું ખાત મુહૂર્ત કરાયું

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે રાજ્ય સરકારની યોજનાના લાભ લઈ વિકાસના માર્ગે આગળ વધવા આહવાન કર્યું
સિદ્ધપુરમાં સરસ્વતી નદી રોડ પર સિધ્ધેશ્વર ફ્લેટની સામે સિધ્ધપુર દેવીપૂજક સમાજની જ્ઞાતિ વાડીનું ખાત મુહૂર્ત "હંસાબા"ના સ્મરણાર્થે ગુરૂવારે કેબિનેટ મંત્રી અને જ્ઞાતિવાડીના દાતા બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત સિદ્ધપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતામાં અગ્રતા ક્રમાંક મેળવતા પાલિકાના સદસ્યો દ્વારા પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ સોનલબેન ઠાકર અને ચીફ ઓફિસર કૃપેશ પટેલનું પણ કેબિનેટ મંત્રીના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, આજના પવિત્ર દિવસ દેવીપૂજક સમાજના ભાઈઓ માટે ગર્વનો દિવસ છે. આ પાવન દિવસ નિમિત્તે દેવીપૂજક સમાજની વાડીનું ખાર્તમુહૂર્ત કરવામાં આવ્યું છે. નાની ઉમરમાં જીવનના પાઠ સમાજના ભાઈઓ પાસેથી શિખ્યો છું. કેબિનેટ મંત્રીએ દેવીપૂજક સમાજને દીકરા-દિકરીઓને શિક્ષણ અપાવવા પણ આહવાન કર્યું હતું.
ટેગ્સ:#Community Development#Community Pride#traditional values#Foundation Stone Laying#Cabinet Minister Balwantsinh Rajput#Khat Muhurat#Devi Pujak Samaj#Siddhpur Inauguration#Hansaba Memorial#Siddheshwar Flat#Saraswati River Road#Cleanliness Recognition#Education Advocacy#Development Schemes
સંબંધિત સમાચાર
પાટણપાટણ કોર્ટ કમ્પાઉન્ડમાં સુરક્ષા સામે સવાલ : સગીરાનું અપહરણ થતા ખળભળાટ
2 દિવસ પહેલા
પાટણપાટણમાં “ઇવીએમ હટાવો – લોકતંત્ર બચાવો” વિચાર ગોષ્ઠિ : બેલેટ પેપરથી ચૂંટણીની માંગ ઉઠી
3 દિવસ પહેલા
પાટણતંત્ર ક્યારે જાગશે ? પાટણના મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોનું અતિક્રમણ, ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ
3 દિવસ પહેલા
પાટણબંધારણના ઘડવૈયાને પાટણવાસીઓની ભાવાંજલિ; વિવિધ સંગઠનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ
3 દિવસ પહેલા
