હારીજ અને ચાણસ્મા મંદીર ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને હારીજ પોલીસે કચ્છ માથી ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે પોલીસ સુત્રો તરફથી જાણવા મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના મુજબ જિલ્લામાં વિવિધ ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા હારીજ પોલીસ સ્ટેશનના ઇન્યાજે પીઆઈ સોલંકી નાઓના સીધા માર્ગદર્શન વેઠળ પોલીસ સ્ટાફના માણસો હારીજ પો.સ્ટેના ગુનાના કામના નાસતા ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા તે દરમ્યાન હકીકત મળેલ કે હારીજ અને ચાણસ્મા મંદિર ચોરીમાં સંડોવાયેલા અને નાસતો ફરતો શખ્સ કચ્છ ના અંજાર ખાતે હોવાની હકીકત મળતા ટીમે ઉપરોક્ત સ્થળે પહોંચી પ્રાણભાઇ નાથાભાઇ રાવળ રહે.સવપુરા તા. કાંકરેજ જી-બનાસકાઠાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
હારીજ અને ચાણસ્મા મંદીર ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને હારીજ પોલીસે ઝડપી લીધો

ટેગ્સ:#Crime#Investigation#arrest#Harij Police#Kutch#Patan District Police#Law Enforcement#Community Safety#Temple Theft#Suspect Detained
સંબંધિત સમાચાર
પાટણપાટણ યુનિવર્સિટીનો મોટો નિર્ણય: નિયમ ભંગ બદલ ૧૭ સંલગ્ન કોલેજોને બંધ કરવાની નોટિસ
3 દિવસ પહેલા
પાટણરાધનપુર તાલુકાના કમાલપુરમાં વહીવટી બેદરકારી: તલાટી-વીસી ગેરહાજર રહેતાં વિદ્યાર્થીઓ પરેશાન
3 દિવસ પહેલા
પાટણરાધનપુરના કલ્યાણપુરામાં રેશનકાર્ડ બંધનો વિવાદ ઉગ્ર : જમીન વિહોણા અને ગરીબ પરિવારોને અનાજથી વંચિત રાખ્યાનો આક્ષેપ
4 દિવસ પહેલા
પાટણહારીજ પંથકમાં નરાધમતાની પરાકાષ્ઠા: સગીરા પર ત્રણ શખ્સોનો બળાત્કાર, ગુનો નોંધાયો
4 દિવસ પહેલા
