રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા12 સપ્ટેમ્બર, 2025| Super Admin

મુખ્યમંત્રીએ બીજા દિવસે વાવ તાલુકાના માડકા ગામે લોક સંવાદ કર્યો

મુખ્યમંત્રીએ બીજા દિવસે વાવ તાલુકાના માડકા ગામે લોક સંવાદ કર્યો
પૂર અસરગ્રતોની મુશ્કેલીઓ અને રજૂઆત સાંભળી તેમને આશ્વાસન પાઠવ્યું મુખ્યમંત્રી અને જિલ્લા વહીવટીતંત્ર નો આભાર વ્યક્ત કરતા સાંસદ ગેનીબેન ઠાકોર; બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ સુઈગામ અને થરાદમાં થયેલી પૂરની પરિસ્થિતિના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના વરસાદ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિના નિરીક્ષણ માટે આવેલા હતા. જે દરમિયાન તેમણે પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં રાત્રી રોકાણ કરી આજે વાવ તાલુકાના માડકા ગામની મુલાકાત કરી હતી. જ્યાં તેમણે સ્થાનિક પૂર અસરગ્રસ્ત લોકો સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ પૂર અસરગ્રતોની મુશ્કેલીઓ અને રજૂઆત સાંભળી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે લોકોને આશ્વાસન આપતાં કહ્યું કે ચિંતા ન કરો, સરકાર તમારી સાથે છે. પાણી ભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેનું આયોજન કરવું તે સરકારની પ્રાથમિકતા છે. જેથી વારંવાર પૂરની પરિસ્થિતિ વચ્ચે થી આ વિસ્તારના લોકોને બચાવી શકાય. વધુમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ રાહત સામગ્રી અને સહાય તાત્કાલિક ધોરણે પહોંચતી થાય તે પ્રકારની વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ ગેનીબેન ઠાકોરે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. પૂરની પરિસ્થિતિમાં સરકારે આ વિસ્તારના પ્રજાજનો માટે સંવેદનશીલ બનીને કામ કર્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોરે સરહદી વિસ્તાર પ્રત્યે મુખ્યમંત્રીની સંવેદનાને વખાણી એમનો આભાર માન્યો હતો.

સંબંધિત સમાચાર