રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા24 જાન્યુઆરી, 2025| Super Admin

અમીરગઢના કિડોતર ગામેથી ગુમ થયેલી સગીરાનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા ચકચાર

અમીરગઢના કિડોતર ગામેથી ગુમ થયેલી સગીરાનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા ચકચાર
મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયો હતો: અમીરગઢ તાલુકાના કિડોતર ગામે એક અઠવાડિયા અગાઉ ગામની ગુમ થયેલી સગીરાનો મૃતદેહ ગુરુવારે કૂવામાંથી મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી જો કે મૃતદેહને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જેના પગલે અમીરગઢ તેમજ એલસીબી તેમજ એ.એસ.પી સહિતના પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અને પરિવારને મૃતદેહ  સ્વીકારવા સમજાવટની પ્રક્રિયા હાથ ધરી હતી. જેથી પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો હતો. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલ કિડોતર ગામે રહેતા એક રબારી પરિવારની કિશોરી છેલ્લા એક અઠવાડિયા થી ગુમ થઈ હતી જેથી આ અંગે પરિવારે પોલીસને જાણ કરતાં પોલીસે પરિવારને જણાવ્યું હતું કે તમે પણ શોધખોળ કરો અને અમે પણ શોધખોળ કરીએ જેથી પરિવાર સગીરાની શોધખોળ કરતો હતો તે સમય દરમિયાન ગુરુવારે કીડોતર ગામે આવેલા કુવા માંથી સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ ઘટનાની જાણ થતા આજુબાજુથી લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અમીરગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો જો કે પીએમ થઈ ગયા બાદ પણ પરિવારજનો એ મૃતદેહ ન સ્વીકારતા ઘટનાને પગલે દોડી આવેલા મહિલા અધિકારી એ.એસ.પી તેમજ એલસીબી પીઆઇ,અમીરગઢ પીઆઇ સહિતના અધિકારીઓએ પરિવારને ન્યાયિક તપાસ કરવાની ખાતરી આપી મૃતદેહ સ્વીકારવા અંગે સમજાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ત્યારબાદ પરિવારે મૃતદેહ સ્વીકારી લીધો હતો.

સંબંધિત સમાચાર