રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજું
બનાસકાંઠા20 એપ્રિલ, 2025| Super Admin

થરાદના ટાંડા તળાવનો વિકાસ કરવાનું આયોજન વિધાનસભા અધ્યક્ષે ૧.૭૬ કરોડના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું

થરાદના ટાંડા તળાવનો વિકાસ કરવાનું આયોજન વિધાનસભા અધ્યક્ષે ૧.૭૬ કરોડના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું

ગાર્ડન અને સેલ્ફી પોઈન્ટ બનાવવાનું સૂચન; થરાદ નગરપાલિકામાં અમૃત ૨.૦ યોજના હેઠળ ટાંડા તળાવનો વિકાસ થઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ૧.૭૬ કરોડના આ પ્રોજેક્ટમાં અનેક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં કંમ્પાઉન્ડ વૉલ, વૉક-વે અને સ્લોપ પ્રોટેક્શનનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત સ્ટ્રીટલાઈટ, તળાવની પાળ પર ગ્રીલ અને ગેટનું પણ નિર્માણ થશે. નિરીક્ષણ દરમિયાન નાયબ કલેક્ટર, મામલતદાર, નગરપાલિકાના વહીવટદાર, ચીફ ઓફિસર અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. વિધાનસભા અધ્યક્ષે ચાલી રહેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. શંકરભાઈ ચૌધરીએ તળાવની સુંદરતા વધારવા માટે કેટલાક મહત્વના સૂચનો કર્યા હતા. તેમણે તળાવની પાળ પર ગાર્ડન બનાવવાનું સૂચન કર્યું હતું. આ ઉપરાંત વોટર એટીએમ અને સેલ્ફી પોઈન્ટ બનાવવાની પણ સલાહ આપી હતી. આ સુવિધાઓથી તળાવ વિસ્તાર આકર્ષક બનશે અને લોકો માટે મનોરંજનનું કેન્દ્ર બની રહેશે.

સંબંધિત સમાચાર