સાબરકાંઠામાં ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજાયો

35 ક્ષય મુક્ત ગામોને પ્રમાણપત્ર અપાયા, જિલ્લા પંચાયત પ્રમુખે સન્માનિત કર્યા; હિંમતનગરના સર્કિટ હાઉસ ખાતે ગુરુવારે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલની અધ્યક્ષતા અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખે ટીબી વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ટીબી એક ચેપી રોગ છે જે હવા દ્વારા ફેલાય છે. સમયસર સારવાર ન લેવાથી મૃત્યુનું જોખમ વધે છે. સરકાર દ્વારા ની-ક્ષય પોષણ યોજના હેઠળ દર્દીઓને આર્થિક સહાય આપવામાં આવે છે.જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ નાગરિકોની સુખાકારી માટે સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી. તેમણે જંક ફૂડના વધુ સેવનથી થતા નુકસાન વિશે ચેતવણી આપી. તેમણે પ્રાકૃતિક કૃષિના મહત્વ પર ભાર મૂક્યો.કાર્યક્રમમાં ક્ષય મુક્ત થયેલા 35 ગામોના સરપંચો અને તલાટીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ફાલ્ગુનીબેન સહિત વિવિધ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
સંબંધિત સમાચાર
સાબરકાંઠાચોરીવાડ દૂધ મંડળીના 50 વર્ષ પૂર્ણ: સાબર ડેરીના ચેરમેનની અધ્યક્ષતામાં ઉજવાયો સુવર્ણ જયંતિ મહોત્સવ
1 દિવસ પહેલા
સાબરકાંઠાઅષાઢી માહોલ વચ્ચે કમોસમી આફત: સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં ગાજવીજ સાથે વરસાદ, હિંમતનગર અને વડાલીમાં પણ છાંટા પડ્યા
2 દિવસ પહેલા
સાબરકાંઠાઇડરમાં કોંગ્રેસના આક્રમક તેવર: સાંસદ ગેનીબેન ઠાકોર વિરુદ્ધની ટિપ્પણી મામલે ભાજપ પ્રદેશ પ્રમુખના રાજીનામાની માંગ
2 દિવસ પહેલા
સાબરકાંઠાબંગાળમાં 'કમળ' ખીલતા હિંમતનગરમાં વિજયોત્સવ: ભાજપ કાર્યકરોએ આતશબાજી કરી જીતની ઉજવણી કરી
4 દિવસ પહેલા
