રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજું
પાટણ29 જૂન, 2025| Super Admin

પાટણની રથયાત્રામાં અંગદાન જાગૃતિ અંગેના ટેબલો અને ઝાંખીએ લોકોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવી

પાટણની રથયાત્રામાં અંગદાન જાગૃતિ અંગેના ટેબલો અને ઝાંખીએ લોકોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવી
અંગદાન અંગેની માહિતી પ્રદાન કરતી પ્રચાર પત્રિકાઓનું શ્રધ્ધાળુઓમા વિતરણ કરાયું; પાટણમાં નિકળેલી ભગવાન જગન્નાથ ની 143મી રથયાત્રામાં ચાલુ સાલે સૌ પ્રથમવાર અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને નીરજ સેવા ટ્રસ્ટ સાથે સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ અને ક્રીમ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અંગદાન અંગેની લોકજાગૃતિ માટે અંગદાન અંગેના ટેબલો અને ઝાંખી પણ જોડવામાં આવી હતી. જે ટેબલો અને ઝાંખી રથયાત્રા મા અનેરૂં આકર્ષણ જમાવ્યું હતું અને લોકોએ પણ અંગદાન વિશે માહિતગાર બની અંગદાન માટે ની પ્રેરિત બન્યાં હતાં. ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયેલા આ ટેબલો અને ઝાંખીએ અંગદાન મહાદાન અને અંગદાનનો સંકલ્પ કરી અંગોની પ્રતીક્ષા કરતા આપણા જ સ્વજનો માટે દેવદૂત બનીએ તેવા સૂત્રો દ્વારા લોકોને અંગદાન માટે જાગૃત કરી રથયાત્રા મા જોડાયેલા અને દશૅનાર્થે પધારેલા લાખો શ્રદ્ધાળુઓમા પ્રચાર પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. રથયાત્રા મા સૌ પ્રથમ વખત ચાર સંસ્થાઓએ સંયુક્ત રીતે જોડેલ અંગદાન જાગૃતિ અંગે ના આ ટેબલો અને ઝાંખીમાં અંગદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ અને હુડકો ના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી.પટેલના માર્ગદર્શન હેઠળ દર્શકભાઈ ત્રિવેદી, મહેન્દ્રભાઈ જોશી, સ્નેહલભાઈ પટેલ અને ધરિતભાઈ મહેતા સહિતની ટીમ દ્વારા લોકોને પ્રત્યક્ષ રીતે અંગદાન શું છે અને તેનું મહત્વ શું છે તે સમજાવ્યું હતું.

સંબંધિત સમાચાર