અજાણ્યા વ્યક્તિનો મોબાઇલ, ચંપલ અને લૂંગી કેનાલ કિનારે મળ્યા, થરાદ વિસ્તારમાં થરાદ-વાવ હાઈવે પર આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં એક અજાણ્યા વ્યક્તિએ ઝંપલાવ્યું હોવાની આશંકાએ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ બનાવને પગલે અરેરાટી પ્રસરવા પામી હતી. થરાદમાં નર્મદા કેનાલ કિનારેથી એક મોબાઈલ ફોન, ચંપલ અને લૂંગી મળી આવતાં કોઈ વ્યક્તિએ કેનાલમાં કૂદકો લગાવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થયા હતા.ફાયર બ્રિગેડની ટીમ શોધખોળમાં જોડાઈ હતી. આ અંગે ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે તેમને કોલ મળતાં જ તેઓ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને કેનાલમાં શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જો કે, અત્યાર સુધી કોઈ વ્યક્તિ મળી આવી નથી. આ બનાવને પગલે ચકચાર મચવા પામી હતી.
બનાસકાંઠા24 ફેબ્રુઆરી, 2025
નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા; ફાયર બ્રિગેડની ટીમ શોધખોળમાં જોડાઈ

ટેગ્સ:#Emergency Services#Narmada Canal Incident#Search Operation#Tharad-Vav Highway#Missing Person#Fire Brigade Response#Mobile Phone Discovery#Unidentified Individual#Local Crowd
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
8 કલાક પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
1 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
