રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા25 જુલાઈ, 2025| Super Admin

ડીસાના કણજરા-ગંભીરજીપુરા માર્ગે કમરસમા પાણી વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગ્રામજનો ત્રાહિમામ

ડીસાના કણજરા-ગંભીરજીપુરા માર્ગે કમરસમા પાણી વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગ્રામજનો ત્રાહિમામ
વિદ્યાર્થીઓશાળાએ જવા મજબૂર, ગ્રામજનોની; ડીસા તાલુકાના કણજરા ગામ અને ગંભીરજીપુરા,ને જોડતા માર્ગ પર ચોમાસામાં કમરસમા પાણી ભરાવાની સમસ્યાએ સ્થાનિકોના દૈનિક જીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ડિલિવરી માટે જતા લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે 2021થી સતત રજૂઆતો કરવા છતાં તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કોઈ કાયમી ઉકેલ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડીસા તાલુકાના કણજરાગામથી ગંભીરજીપુરા પરા સુધીના આશરે દોઢકિલોમીટરના માર્ગ પર વરસાદના  જેના કારણે માર્ગ જળબંબાકાર બની જાય છે. 500 થી વધુ વસ્તી ધરાવતા આ ગામના રોજના 50 થી વધુ બાળકોને છાતી સુધીના પાણીમાંથી પસાર થઈને શાળાએ જવું પડે છે. આ કારણે અનેકવાર તેઓ આઠ-આઠ દિવસ સુધી શાળાએ જઈ શકતા નથી. વહેલી સવારે અને સાંજે દૂધ ભરવા જતા ખેડૂતો અને અન્ય ગ્રામજનોને પણ પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. ડિલિવરી જેવા કટોકટીના સમયે પણ આ માર્ગ પરથી પસાર થવું અત્યંત મુશ્કેલ બની જાય છે. આ રસ્તા પરથી રોજના 50 થી વધુ બાળકો શાળાએ જાય છે, જેમની છાતી સુધી આ પાણી આવે છે. સવારે સાંજે દૂધ ભરવા જતા ગામ લોકો ને ખુબ મુશ્કેલી પડી રહી છે. સરકારને ઘણા પત્ર લખવામાં આવ્યા છે તેમ છતાં ઉકેલ લાવવામાં આવ્યો નથી." ગંભીરજીપુરા વિસ્તારમાં 25 ઘરોનો મેડલો ધરાવતા સ્થાનિક "અમારા છોકરાઓને શાળાએ આવવા જવામાં તળાવનું પાણી રસ્તા પર આવવાને લીધે ખૂબ તકલીફ પડે છે. ગામ લોકોને દૂધ ભરાવવા જવાની ખૂબ તકલીફ પડે છે. આ પાણીને કારણે છોકરાઓ આઠ આઠ દિવસ સુધી સ્કૂલના જઈ શકવાને કારણે અભ્યાસ બગડી રહ્યો છે. અમારી રજૂઆતો 2021 થી થઈ છે છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી." આજે પણ, ડીસાના આ ગામના વિદ્યાર્થીઓને બે કિલોમીટર અંતર કાપી અભ્યાસ કરવા જાય છે, જે તંત્રની બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ છે. ગ્રામજનો સરકાર પાસે આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવાની માગ કરી રહ્યા છે  ગામ લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક આ રસ્તા પર ભરાતા પાણીનો કાયમી નિકાલ લાવે અને તેમને દૈનિક હાલાકીમાંથી મુક્તિ અપાવે.

સંબંધિત સમાચાર