રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા30 જાન્યુઆરી, 2025| Super Admin

જડિયા ગ્રામજનો દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે ઉગ્ર રજૂઆત

જડિયા ગ્રામજનો દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે ઉગ્ર રજૂઆત
ધાનેરા તાલુકાના જડિયા ગ્રામજનો દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ નામથી નવો જિલ્લો બનાવ્યો છે, જેમાં ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયને લઈને આ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકો બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માંગ કરી રહ્યા છે અને આંદોલન કરી રહ્યા છે. ધાનેરાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે ધાનેરા તાલુકાની પ્રજા બનાસકાંઠા સાથે સંકળાયેલી છે અને પાલનપુર જવા માટે અનુકૂળ છે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે અને કાંકરેજ તાલુકાના રહેવાસીઓ બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગે છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે પણ વિરોધ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે ધાનેરા તાલુકાના લોકો થરાદને અનુકૂળ નથી માનતા અને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગે છે. આ મુદ્દે ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકામાં ઉગ્ર દેખાવો, બજારો બંધ અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યુહતું. સ્થાનિક આગેવાનો અને પ્રજા સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર