રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા3 એપ્રિલ, 2025| Super Admin

યાત્રાધામ અંબાજી શિખર પર ધજા અર્પણ કરી માતાજીની વિશેષ આરાધના

યાત્રાધામ અંબાજી શિખર પર ધજા અર્પણ કરી માતાજીની વિશેષ આરાધના

ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત જગવિખ્યાત યાત્રાધામ અંબાજી શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ છે. આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ છે. હાલમાં ચાલી રહેલા ચૈત્રી નવરાત્રી પર્વ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. ભક્તો મંદિરના શિખર પર ધજા અર્પણ કરી માતાજીની વિશેષ આરાધના કરી રહ્યા છે. માન્યતા છે કે ચૈત્રી નવરાત્રીમાં ધજા અર્પણથી માતાજી પ્રસન્ન થાય છે. ધજા અર્પણની પ્રક્રિયામાં ભક્તોએ પ્રથમ ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરીમાં ધજાની પાવતી બુક કરાવવી પડે છે. ત્યારબાદ મંદિરના પૂજારી દ્વારા વિધિવત પૂજન કરાવીને શિખર પર ધજા ચઢાવવામાં આવે છે. નવરાત્રી પર્વના પ્રથમ દિવસથી ચોથા દિવસ બપોર સુધીમાં લગભગ 250 જેટલી ધજાઓ ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવી છે. આ દરમિયાન બોલિવૂડના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર ઉત્તમ અગ્રવાલે પણ પોતાના પરિવાર સાથે માતાજીના દર્શન કર્યા હતા.

સંબંધિત સમાચાર