ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત જગવિખ્યાત યાત્રાધામ અંબાજી શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ છે. આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ છે. હાલમાં ચાલી રહેલા ચૈત્રી નવરાત્રી પર્વ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. ભક્તો મંદિરના શિખર પર ધજા અર્પણ કરી માતાજીની વિશેષ આરાધના કરી રહ્યા છે. માન્યતા છે કે ચૈત્રી નવરાત્રીમાં ધજા અર્પણથી માતાજી પ્રસન્ન થાય છે. ધજા અર્પણની પ્રક્રિયામાં ભક્તોએ પ્રથમ ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરીમાં ધજાની પાવતી બુક કરાવવી પડે છે. ત્યારબાદ મંદિરના પૂજારી દ્વારા વિધિવત પૂજન કરાવીને શિખર પર ધજા ચઢાવવામાં આવે છે. નવરાત્રી પર્વના પ્રથમ દિવસથી ચોથા દિવસ બપોર સુધીમાં લગભગ 250 જેટલી ધજાઓ ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવી છે. આ દરમિયાન બોલિવૂડના જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર ઉત્તમ અગ્રવાલે પણ પોતાના પરિવાર સાથે માતાજીના દર્શન કર્યા હતા.
બનાસકાંઠા3 એપ્રિલ, 2025
યાત્રાધામ અંબાજી શિખર પર ધજા અર્પણ કરી માતાજીની વિશેષ આરાધના

ટેગ્સ:#Ambaji temple#Shakti Peeth#Community Participation#spiritual significance#Religious Rituals#Pilgrimage Site#Chaitri Navratri#Devotion and Faith#Flag Offering#Gujarat-Rajasthan Border#Temple Worship#Bollywood Influence
સંબંધિત સમાચાર
બનાસકાંઠાથરાદમાં SOGનો સપાટો : ગાડીના ચોરખાનામાંથી ૨૨૪૯ બોટલ વિદેશી દારૂ ઝડપાયો, ત્રણ સામે ગુનો દાખલ
5 કલાક પહેલા
બનાસકાંઠાસનસનાટીભરી ઘટના : પાલનપુર નાળામાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર, હત્યા કરી લાશ ફેંકી દેવાયાની આશંકા
1 દિવસ પહેલા
બનાસકાંઠાબાલારામ બ્રીજ રક્તરંજિત : એસ.ટી.બસ અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર, એકનું ઘટનાસ્થળે જ મોત
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મિહીર માર્કેટિંગમાં SOGના દરોડા : રૂ. 72 હજારનું શંકાસ્પદ ઘી અને કાર સહિત 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
