રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય18 મે, 2026| Super Admin

શુભેન્દુ અધિકારીના PAની હત્યા કરનાર શૂટરની યુપીમાં ધરપકડ

શુભેન્દુ અધિકારીના PAની હત્યા કરનાર શૂટરની યુપીમાં ધરપકડ

શુભેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યા કેસમાં સીબીઆઈએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. મુઝફ્ફરનગર પોલીસ સાથે મળીને, સીબીઆઈએ શુભેન્દુ અધિકારીના અંગત સહાયકની હત્યા કેસમાં રાજકુમાર નામના શંકાસ્પદની ધરપકડ કરી છે. સીબીઆઈ ટીમે મુઝફ્ફરનગરમાં શંકાસ્પદની ધરપકડ કરી હતી. હત્યારાનો ફોટો પણ સામે આવ્યો છે.

આરોપીનું સાચું નામ રાજકુમાર છે. જોકે, તે રાજ સિંહ તરીકે પણ ઓળખાય છે. રાજકુમારે આ હત્યામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી; તે મુખ્ય શૂટર હોવાનું કહેવાય છે. આ હત્યા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ નથી. આરોપીને મંગળવારે કોલકાતા સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બંગાળ પોલીસે આ હત્યા કેસમાં અગાઉ ત્રણ ધરપકડ કરી હતી, જે 23 મે સુધી સીબીઆઈ કસ્ટડીમાં છે. હવે, સીબીઆઈએ વધુ એક ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ચાર ધરપકડ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, 4 મેના રોજ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના બે દિવસ પછી, 6 મેના રોજ રાત્રે સુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યા કરવામાં આવી હતી. ઉત્તર 24 પરગણા જિલ્લાના મધ્યગ્રામમાં એક પાર્ટી કાર્યક્રમમાંથી તેમના ઘરે પરત ફરતી વખતે ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસ મુજબ, જ્યારે પીએ ચંદ્રનાથ રથની કાર એક ફોર વ્હીલર સાથે અથડાઈ અને રોકાઈ ગઈ, ત્યારે થોડા સમય માટે તેમનો પીછો કરી રહેલી બે મોટરસાઈકલમાંથી એક રથની કારની બાજુમાં આવી ગઈ. તે જ મોટરસાઈકલ પર સવાર હુમલાખોરે નજીકથી 10 ગોળીબાર કર્યા. રથનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે તેમના ડ્રાઈવર બુદ્ધદેવ બેરા ગંભીર રીતે ઘાયલ થયા. જોકે, બેરાની હાલત ઝડપથી સુધરી રહી છે.

સંબંધિત સમાચાર