રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા1 ઑગસ્ટ, 2025| Super Admin

અમીરગઢમાં સમભાવ ટ્રસ્ટ દ્વારા ટીબીના દર્દીઓને પોષણ સહાય કીટનું વિતરણ કરાયું

અમીરગઢમાં સમભાવ ટ્રસ્ટ દ્વારા ટીબીના દર્દીઓને પોષણ સહાય કીટનું વિતરણ કરાયું

પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સમભાવ ટ્રસ્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના 105 ટીબીના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા હતા અને તેમને દર મહિને પોષણ કીટ આપવા માટેની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ વર્ષથી સમભાવ ટ્રસ્ટ દ્વારા ટીબીના દર્દીઓને દર મહિને પોષણ કીટ આપવામાં આવે છે ત્યારે આ પોષણ કીટના લીધે ટીબીના દર્દીઓના મૃત્યુ આંક માં ઘટાડો થયો છે. સરકાર દ્વારા ટીબીના દર્દીઓને મફતમાં દવાઓ આપવામાં આવે છે જેનાથી દર્દીઓને ખૂબ મોટો ફાયદો થયો છે તો બીજી તરફ ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર મળે તે માટે સમભાવ ટ્રસ્ટ દ્વારા પહેલ કરવામાં આવી હતી અને છેલ્લા ત્રણ વર્ષથી સમભાવ ટ્રસ્ટ દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવામાં આવે છે જેનાથી દર્દીઓને સારો ખોરાક મળી રહે છે અને તેમના સ્વાસ્થ્યમાં પણ ઘણો ફાયદો થાય છે.આ અભિયાનમાં સમભાવ ટ્રસ્ટ સાથે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ તાલુકા આરોગ્ય પણ ટીબીના દર્દીઓને સાજા કરી આ વિસ્તારને ટીબી મુક્ત કરી અને પ્રધાનમંત્રી ના ટીબી મુક્ત ભારત અભિયાનને સાર્થક કરવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. સમભાવ ટ્રસ્ટ દ્વારા અમીરગઢ તાલુકાના ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર માટે ની કીટ આપવામાં આવે છે તે સિવાય કુપોષિત અને જોખમી સગર્ભા બહેનોમાં કુપોષણ દૂર કરવા માટે પણ સમભાવ ટ્રસ્ટ દ્વારા  કિટ આપવામાં આવે છે. તો બીજી તરફ એક એમ્બ્યુલન્સ પણ ભેટ આપવામાં આવી છે અને સમભાવ ટ્રસ્ટ દ્વારા દવાખાનાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર